ગુજરાતમાં 70 દિવસના કોરોના લોકડાઉન બાદ અનલોક ગુજરાતમાં એસટી બસ દોડતી થઈ હતી જેને વાવાઝોડા નિસર્ઘનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે ગુજરાતના ચાર જિલ્લામાં તેની જોરદાર અસર દેખાઈ રહી છે. ત્યારે આજે આ રૂટ પર બસો બંધ કરવામાં આવી છે.
નિસર્ગ વાવાઝોડાની ST વિભાગ પર થઇ શકે છે અસર
જરૂર જણાય તો દ.ગુજરાત તરફ જતી ST સેવા બંધ કરાશે
લોકડાઉન બાદ 70 દિવસે શરૂ થઇ છે ST બસ
નિસર્ગ વાવાઝોડાની ST વિભાગ પર અસર થઇ શકે છે. જરૂર જણાય તો દક્ષિણ ગુજરાત તરફ જતી ST બસ સેવા બંધ કરાશે. લોકડાઉન બાદ 70 દિવસે ST બસ શરૂ થઇ છે. તો કોરોના બાદ નિસર્ગ વાવાઝોડાનું ST બસ પર ગ્રહણ છે. વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદારાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નિસર્ગ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નિસર્ગ વાવાઝોડુ વધુ મજબુત બન્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્ધભવેલું આ વાવાઝોડુ સુરતથી હાલ 425 કિલોમીટર દૂર છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આજે બપોર બાદ મહારાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડુ ટકરાશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થશે. વાવાઝોડાના કારણે વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તો સુરત, ડાંગ, નર્મદામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ભરૂચમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.