પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર નાણામંત્રી સીતારામણે જણાવ્યું કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચલો રસ્તો ન કાઢે ત્યાં સુધી ઉકેલ નહીં આવે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર નાણામંત્રી સીતારામણનું મોટું નિવેદન
ઈંધણના ભાવવધારાને વ્યાજબી ચિંતા ગણાવી
કેન્દ્ર અને રાજ્ય સરકારો વચલો રસ્તો ન કાઢે ત્યાં સુધી ઉકેલ નહીં
નાણામંત્રી સીતારામણે કહ્યું કે ઈંધણ ભાવવધારા પર લોકોની ચિંતા વ્યાજબી છે, જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચલો રસ્તો ન કાઢે ત્યાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે.
પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો ઈન્કાર
જોકે નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે મનમોહન સરકારના કાર્યકાળ દરમિયાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડા માટે ચુકવી રહી છે. તેમણે કહ્યું કે મોદી સરકાર મનમોહન સરકારના કાર્યકાળ વખતના ઓઈલ બોન્ડની રકમ અને તેના વ્યાજની ચુકવણી કરી રહી છે.
1.68 લાખ કરોડના ઓઈલ બોન્ડ ચુકવવાના બાકી-સીતારામણ
તેમણે કહ્યું કે 31 માર્ચ 2021 સુધીમાં ઓઈલ બોન્ડ પેટે કુલ 1.31 લાખ કરોડની રકમ અને 37,340 કરોડના વ્યાજની રકમ ચુકવવાની બાકી છે."અમને અગાઉની સરકાર પાસેથી વારસામાં મળેલી તમામ બાબતોની યાદી આપતા 2014 માં એક શ્વેત પત્ર બહાર પાડવું જોઈતું હતું . ઓઈલ બોન્ડ તેનો મોટો હિસ્સો હતો. અગાઉની સરકારે કિંમતોમાં ઘટાડો કર્યો હતો પરંતુ તે બોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા લેવો પડ્યો હતો ( ઓએમસી) આ ઓઇલ બોન્ડ્સ મારફતે, "સીતારામને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે શું કેન્દ્ર તમિલનાડુના ઉદાહરણનું પાલન કરશે અને ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડશે?