કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. એક મહિનામાં મોતની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એક મહિનામાં મોતની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો
મોતની સંખ્યા પણ 14 હજારની નીચે પહોંચી ગઈ
14થી 20 જૂન દરમિયાન દેશભરમાં કોરોનાથી 13886 લોકોના જીવ ગયા
એક મહિનામાં મોતની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો
કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. તેનો અંદાજો કોરોનાગ્રસ્તની સંખ્યા અને મોતની સંખ્યાથી લગાવી શકાય છે. ગત એક મહિનામાં મોતની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા 14થી 20 જૂનની વચ્ચે છે. આ દરમિયાન મોતની સંખ્યા પણ 14 હજારની નીચે પહોંચી ગઈ છે. ગત 9 અઠવાડિયા દરમિયાન એવું પહેલી વાર જોવા મળ્યું છે કે એક દિવસમાં મોતની સંખ્યા 2 હજારથી નીચે રહી છે.
14થી 20 જૂન દરમિયાન દેશભરમાં કોરોનાથી 13886 લોકોના જીવ ગયા
ગત અઠવાડિયામાં એટલે કે 14થી 20 જૂન દરમિયાન દેશભરમાં કોરોનાથી 13886 લોકોના જીવ ગયા છે. જેનાથી ગત અઠવાડિયાના આંકડા 2508 હતો. દેશભરમાં કોરોનાથી થનારી મોતની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયી રહ્યો છે. પરંતુ એક અઠવાડિયામાં આટલા મોટા ઘટાડાનું કારણે બેકલોગ ડેટામાં ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે આ જૂના ડેટા છે જે રાજ્ય સરકાર હવે કેન્દ્રને મોકલી રહી છે. આ અઠવાડિયામાં મોતના 5151 જૂના ડેટા જોડવામાં આવ્યા છે. જે ગત અઠવાડિયાની મોતની સંખ્યા 11875 હતી.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે જૂના આંકડા
ઉલ્લેખનીય છે કે જૂની સંખ્યાની સૌથી વધારે રિપોર્ટિંગ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં થઈ છે. અહીં મેના પહેલા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી 27600 મોતની સંખ્યા જોવા મળી છે. જ્યારે તેમાં 22, 875 જૂના મોત છે. રાજ્યમાં સંક્રમણના કુલ મામલા વધીને 59, 72, 781 થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા વધીને 1, 17, 961 થઈ ગઈ. જ્યાકે 9101 દર્દી સાજા થયા છે. રાજ્યમાં દર્દીના સાજા થવાનો દર 95.76 ટકા છે. જ્યારે મૃત્યુદર 1.97 ટકા છે.
કોવિડ ડેથ
આ દરમિયાન શનિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી કહ્યુ કે જો કોઈ વ્યક્તિનું કોરોનાથી મોત હોસ્પિટલની બહાર થયું છે તો તેને કોવિડ ડેથ નહીં મનાય. આ પહેલા સરકારે ફક્ત હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીના મોતના આંકડાને રજૂ કરી રહી હતી. સરકારે 183 પેજનું સોગંદનામુ દાખલ કર્યુ છે. જેમાં કેન્દ્રે કહ્યુ છે કે આ નિયમનું પાલન નહીં કરનારા ડોક્ટરો પર કાર્યવાહી કરવામાં આવશે.