કેન્દ્ર સરકારે તમામ એરલાઈન્સને યાત્રા દરમિયાન મુસાફરોને ભોજન પીરસવાની મંજૂરી આપી દીધી છે. ફ્લાઈટમાં ભોજન પીરસવાની મંજૂરી મળતાં જ એરલાઈન્સે હવે તૈયારીઓ શરુ કરી દીધી છે, પરંતુ હવે મેન્યૂ પહેલાં કરતાં ઘણું બદલાઈ ગયું છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરોને પ્રી-પેક્ડ સ્નેક્સ, મીલ અને બેવરેજિસ મળી શકશે. IndiGo, Air India, SpiceJet તમામ એરલાઈન્સે ભોજનના મેન્યૂમાં કેટલાક ફેરફાર કર્યા છે. ચાલો જાણીએ.
હવાઈ યાત્રા કરનાર લોકો માટે કામના સમાચાર
હવે તમામ એરલાઈન્સે ભોજનને લઈને કર્યા આ બદલાવ
મેન્યૂમાં કરાયા આવા ફેરફાર
સરકારી આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં હોટ મીલ પણ મળી શકશે. એટલું જ નહીં સરકાર તરફથી કોરોના વાયરસને કારણે થોડી સખ્તાઈ પણ વર્તવામાં આવી છે. હકીકતમાં ડાયરેક્ટ્રોરેટ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જો કોઈ યાત્રી યાત્રા દરમિયાન માસ્ક પહેરવાનો ઈન્કાર કરે છે તો તેનું નામ એરલાઈન દ્વારા નો-ફ્લાય લિસ્ટમાં પણ મૂકી શકાય છે.
IndiGo મેન્યૂ- લાઇટ મીલનું ઓપ્શન- IndiGoના મેન્યૂમાં વેજ અને નોનવેજ સેન્ડવીચની સાથે કુકીઝ કે કેશ્યૂ બોક્સનો વિકલ્પ છે. પરંતુ સ્નેક્સ માટે પ્રી બુકિંગ જરૂરી છે.
Air India મેન્યૂ- ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ગરમ ભોજન, ડ્રિન્ક્સ મળશે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં લાઈટ મીલ પીરસવામાં આવશે. નોનવેજ અને સ્પેશિયલ મીલની સુવિધા નહીં મળે.
SpiceJet મેન્યૂ- 13 સપ્ટેમ્બરથી મીલ સર્વિસ શરૂ થશે. માત્ર પ્રી-બુકિંગનું ઓપ્શન છે. સેન્ડવીચ, નૂડલ્સ ઉપરાંત છોલે, પરોઠા મળશે. બેવરેજની પણ પૂરી રેન્જ છે. તેની સાથે જ ગુડીઝ બેગનો પણ વિકલ્પ છે.
Vistara મેન્યૂ- આગામી સપ્તાહથી મીલ શરૂ કરવામાં આવશે. પ્રીપેક્ડ મીલ અને બેવરેજનો ઓપ્શન મળશે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે આ નિયમ રહેશે
અત્યાર સુધી મુસાફરો માટે મીલ સર્વિસ નહોતી. મુસાફરો ફ્લાઈટની અંદર કંઈપણ ખાઈ શકતા નહોતા. નવા SOP બાદ એરલાઈન્સ પ્રી-પેક્ડ સ્નેક્સ/ મીલ્સ/ ડ્રિન્ક્સ મુસાફરોને પીરસી શકાશે. આ ઉપરાંત ભોજનની સામગ્રી માત્ર ડિસ્પોસેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપી શકાશે, જેને ફરી ઉપયોગમાં નહીં લઈ શકાય. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને ભોજન પીરસશે તો તેમને દરેક વખતે પોતાના હેન્ડ ગ્લોવ્ઝ બદલવા પડશે. આ દરમિયાન પેસેન્જર ઓન બોર્ડ એન્ટરટેઈમેન્ટ પણ લઈ શકશે.
સરકારે કહ્યું કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રીઓ માટે આ સાવધાનીઓ રાખવી જરૂરી છે. સરકારના આ નિર્ણયથી એવી એરલાઈન્સ કંપનીઓને ફાયદો થશે જે ઓછાં ભાડાંમાં સેવાઓ આપી રહી છે. આનાથી તેમને મુસાફરો પાસેથી વધુ પૈસા મળી શકશે અને યાત્રીઓની સંખ્યા પણ વધી શકે છે.