ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયના વડોદરામાં શહેરમાં ગઇકાલે 26 કોરોના પોઝિટિવ કેસોને લઇને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં જુનાગઢ અને હૈદરાબાદથી આવેલા તબલીગી લોકોના રિપોર્ટ પોઝિટવ આવતાં તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તંત્ર તેમજ પોલીસ દ્વારા વડોદરા શહેરમાં તબલિગી જમાત મળી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
વડોદરામા ગતરોજ 26 કેસ પોઝિટિવ આવવાનો મામલો
જુનાગઢ અને હૈદરાબાગથી આવેલ તબલીગી લોકોના આવ્યો રિપોર્ટ પોઝિટિવ
બંન્ને જમાતના 49 લોકોના સેમ્પલ લેવામા્ં આવ્યા હતા
વડોદરા શહેરમાં ગઇકાલે એકસાથે 26 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું. જો કે આ કોરોના જુનાગઢ અને હૈદરાબાદથી આવેલા તબલિગી જમાતના લોકોમાં પોઝિટિવ જોવા મળ્યો છે. આ બંને જમાતના 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. હાલમાં તમામ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગઇકાલે કોરોનાના વધુ 27 પોઝિટિવ કેસ સામે આવ્યાં આવ્યાં હતા. 171 સેમ્પલમાંથી 27 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યા કુલ 607 નોંધાયા છે.
વડોદરા શહેરમાં કોરોનાથી ગઇકાલે વધુ 13 દર્દીઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયાં હતા. 12મી તારીખ સુધી વડોદરામાં કોરોનાથી 311 લોકો ડિસ્ચાર્જ, 32ના મોત થયા હતા.