દેશના 5 રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોનાના ટેસ્ટ વધારવા માટે નિર્દેશ કર્યો છે.
ભારતમાં કોરોના 1.1 કરોડ આંકડાની પાર કરી ગયા છે
24 કલાકમાં કોરોનાના 14, 199 નવા મામલા સામે આવ્યા
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ આવ્યા છે
ભારતમાં કોરોના 1.1 કરોડ આંકડાની પાર કરી ગયા છે
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ રવિવારે 11 મિલિયન એટલે કે 1.1 કરોડ આંકડાની પાર કરી ગયા છે. જો કે અંતિમ 1 મિલિયન મામલા 65 દિવસોમાં આવ્યા છે. જે આટલા નવા કોરોના મામલા માટે સૌથી મોટો પીરિયડ છે. ગત 7 દિવસોમાં કોરોનાના મામલામાં વધારો થયો છે.
24 કલાકમાં કોરોનાના 14, 199 નવા મામલા સામે આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરેલા આંકડા મુજબ ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 14, 199 નવા મામલા સામે આવ્યા છે અને આની સાથે કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 1, 10, 05, 850 થઈ ગઈ છે. ત્યારે 83 નવા મોત બાદ દેશમાં કોરોનાથી થનારા મોતનીકુલ સંખ્યા 1, 56, 385 થઈ ગઈ છે.
દેશમાં કુલ 1,11, 16, 854 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી
આંકડામાં જણાવ્યાનુંસાર દેશમાં કુલ 1,11, 16, 854 લોકોને કોરોના વાયરસની રસી લગાવવામાં આવી છે. વર્તમાનમાં ભારતમાં સક્રિય મામલાની કુલ સંખ્યા હવે 1, 50, 055 છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ કેસ 1, 06, 99, 410 છે. ભારતમાં કાલ સુધીમાં 21, 15, 51, 746 સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 6, 20, 216 ટેસ્ટ રવિવારે કરવામાં આવ્યા.
7 દિવસોમાં 1, 00,990 નવા કેસ દાખલ
ભારતમાં ગત અઠવાડીયામાં (15થી 21 ફેબ્રુઆરી)માં કોરોનાના 1, 00,990 તાજા મામલા દાખલ થયા છે. ગત અઠવાડિયામાં કોરોનાના 77, 284 નવા મામલા સામે આવ્યા છે. તેવામાં ગત અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે 31 ટકા કેસ વધ્યા છે. રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ આવ્યા છે. જ્યાં ગત અઠવાડિયે 81 ટકા વધારો થયો છે. ભારતમાં ગત અઠવાડિયે કોરોનાની સંખ્યા 11430 હતી. આ અઠવાડિયે 12,770 થઈ ગઈ છે. આ અઠવાડિયે મરનારની સંખ્યા 660 રહી જે ગત અઠવાડીયાની સરખામણીએ 10 ટકા વધારે છે.
74 ટકાથી વધારે એક્ટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં
મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ -19ના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં 74 ટકાથી વધારે કરેળ અને મહારાષ્ટ્રમાં છે. એ બાદ છત્તીસગઢ અને મઘ્ય પ્રદેશમાં પણ મામલા વધી રહ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ રોજ બરોજ મામલામાં વૃદ્ધિ થવાની પ્રવૃત્તિ જોવા મળી છે. જે 18, 200થી વધી 21, 300 થઈ ગઈ છે. જ્યારે અઠવાડિયાની પુષ્ટિ દર 4.7થી વધી 8 ટકા થઈ ગઈ છે.
સંક્રમણના મામલામાં રાષ્ટ્રીય દરથી મહારાષ્ટ્ર ઘણું આગળ છે
મંત્રાલયે કહ્યું કે 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણની સાપ્તાહિક પુષ્ટીનો દર રાષ્ટ્રીય ટકા 1.79થી વધારે છે. આ દર મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. જે 8.10 છે. કેન્દ્રએ આ તમામ રાજ્યોના 5 ઉપાયો પર ભાર દેવાની સલાહ આપી છે. જેમાં આરટી પીસીઆર તપાસ, સખત વ્યાપક નજર, જિલ્લામાં ક્લીનિકલ મેનેજમેન્ટ વગેરે સામેલ છે. મહારાષ્ટ્રમાં રવિવારે 6971 નવા કેસ આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 21 લાખને પાર થઈ ગઈ છે.
કેરળમાં 4,070 નવા દર્દીઓની ખરાઈ થઈ
કેરળમાં રવિવારે 4070 નવા દર્દીઓ આવ્યા છે. કોરોનાને લીધે 15 લોકોના જીવ ગયા. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 10, 35, 006 મામલા આવી ચૂક્યા છે. ગત 24 કલાકમાં 57, 241 નવા નમૂનાની તપાસ થતાં સંક્રમિતોનો દર 7.11 ટકા છે. આની વચ્ચે રવિવારે 4335 દર્દીઓ સાજા થયા છે.
પંજાબમાં 358 નવા દર્દી
પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. 24 કલાકમાં 358 નવા કેસ આવ્યા છે. 8 લોકોના મોત થયા છે.
મધ્ય પ્રદેશમાં રવિવારે કોરોનાના 299 નવા કેસ આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,59, 427 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. મરનારની સંખ્યા 3854 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે રાજ્યના 52 જિલ્લામાંથી 18 જિલ્લામાં રવિવારે એક પણ નવા કેસ આવ્યા નથી. રાજ્યમાં રોજના 200થી વધારે નવા કેસ સામે આવે છે.
અમેરિકામાં 5 લાખ લોકોના મોત
કોરોનાને કારણે એમેરિકામાં રવિવાર સુધીમાં મરનારાનો આંકડો 5 લાખ થઈ ગઈ છે. આ આંકડો જોન હોપકિન્સ યૂનિવર્સિટી તરફથી એકઠો કરવામાં આવ્યો છે. આ આંકડામાં વર્ષ 2019માં શ્વાસની સમસ્યા, અલ્ઝાઈમર, ફ્લૂ અને ન્યૂમોનિયા જેવી બિમારીઓથી મરનારા લોકો પણ સામેલ છે.