દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ 1 લાખ 31 હજાર 878 આવ્યા છે અને મૃત્યુઆંક પણ વધીને 802 થયો છે.
ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક કેસ
દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ 1 લાખ 31 હજાર 878
ભારતમાં કોરોનાથી એક દિવસમાં 802ના મૃત્યુ
ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક કેસ આવ્યા છે. દેશમાં કોરોનાના એક દિવસમાં નવા કેસ 1 લાખ 31 હજાર 878 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 61 હજાર 829 દર્દી રિકવર થયા છે તો સાથે જ દેશમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક પણ વધ્યો છે, ભારતમાં કોરોનાથી એક દિવસમાં 802ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 74 હજાર 233 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 30 લાખ 57 હજાર 954 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 19 લાખ 10 હજાર 741 થઈ છે. તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 67 હજાર 694 પહોંચ્યો છે.
ઘટી રહ્યો છે કોરોનાનો ડેથ રેટ, એકિટવ રેટમાં થયો વધારો
આ સાથે દેશમાં કોરોનાના કારણે 1.66 લાખ લોકોના મોત થયા છે અને સાથે જ 9 લાખ 5 હજાર દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાથી સાજા થતા દર્દીનો દર ઘટીને 91.67 ટકા અને એક્ટિવ કેસ વધીને 7.04 થઈ ચૂક્યો છે. કોરોનાનો ડેથ રેટ ઘટીને 12.09 ટકા થયો છે. ગુરુવારે પીએમ મોદીએ પણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી અને કહ્યું કે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાય. સાથે લોકોમાં જાગરૂકતા જરૂરી છે.
આ 12 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ભારતમાં 12 રાજ્યો છે જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને સંક્રમણથી લોકોના જીવ જઈ રહ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને કેરળનો સમાવેશ થઈ રહ્યો છે.
કોરોનાથી પ્રભાવિત રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્રમાં ગુરુવારે 56286 નવા દર્દીઓ આવ્યા છે તો 376 લોકોના મોત થયા છે. હાલમાં અહીં 5.21 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે 7437 નવા કેસ આવ્યા છે અને 42 દર્દીના મોત થયા છે. અહીં 6.98 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 23 181 લોકો સારવાર લઈ રહ્યા છે. ગુજરાતમાં ગઈ કાલે 4021 નવા કેસ આવ્યા છે અને 35 લોકોના મોત થયા છે. અહીં 4655 દર્દીના મોત થયા છે. તો સાથે જ 3.07 લાખ લોકો સાજા થયા છે. પંજાબમાં 3119 કેસ આવ્યા છે અને 56 લોકોના મોત થયા હોવાનું આંકડા કહી રહ્યા છે. અહીં કુલ 7334 મોત થયા છે અને 26389 લોકોની સારવાર ચાલી રહી છે.