ભારતમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 624 કેસ નોંધાયા છે જ્યારે 46 દર્દીઓ સુંપુર્ણ રીતે ઠીક થયા છે. દેશમા મૃત્યુઆંક 12 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 85 વર્ષિય વૃદ્વાનું મોત તો સુરતમાં 67 વર્ષિય વૃદ્વનું મોત થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 40 પોઝિટીવ કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના કારણે લૉકડાઉન
ભારતમાં કુલ મૃત્યુઆંક 12, કુલ સંખ્યા 624
કોરોનાથી બુધવારે કુલ 3 લોકોના મોત
ગોવામાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ
ગોવામાં પણ 3 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે અને ત્રણેય લોકો વિદેશ પ્રવાસ કરી ચૂક્યા છે. ગોવામાં કોરોનાનો આ પહેલો કેસ છે. ત્રણેય પુરુષ છે અને તેમની ઉંમર 25, 29 અને 55 વર્ષ છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ લોકો સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ગયા હતા. ત્યારબાદ ગોવામાં પરત ફર્યા હતા. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે.
તેલંગાણામાં નોંધાયા 41 પોઝિટિવ કેસ
તેલંગાણામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં 2 નવા કોરોના કેસ નોંધાયા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ-વર્ષના બાળકને પણ કોરોનાથી ચેપ લાગ્યો છે. આ સિવાય હૈદરાબાદ સિટીની 43 વર્ષીય મહિલા પણ કોરોનાથી ચેપગ્રસ્ત છે. મહિલાનો વિદેશ પ્રવાસનો કોઈ ઇતિહાસ નથી, પરંતુ બાળક તાજેતરમાં સાઉદી અરેબિયાથી પરત ફર્યો છે.
ગુજરાતમાં કુલ 2 લોકોના મોત થયા
ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 85 વર્ષિય વૃદ્વાનું મોત તો સુરતમાં 67 વર્ષિય વૃદ્વનું મોત થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 40 પોઝિટિવ કેસ નોંધાયા છે.