ભારતમાં કોરોનાના કેસ 28 લાખને પાર થઈ ગયા છે. ભારતમાં કોરોનાના કુલ 28 લાખ 36 હજાર 926 કેસ નોંધાયા છે. બુધવારે 24 કલાકમાં કોરોનાનો રેકોર્ડ તુટ્યો હતો. આ પહેલા 12 ઓગસ્ટના રોજ 67 હજાર 66 દર્દી મળ્યા હતા. ભારતમાં પ્રથમવાર 69 હજાર 652 કેસ નોંધાયા છે. ભારતમાં વધુ 979 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 59 હજાર 365 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. જ્યારે 53 હજાર 994 લોકોના મોત થયા છે.
એક દિવસમાં 9 લાખથી વધુ ટેસ્ટ થાય છે
દેશમાં કોરોનાના 6 લાખ 86 હજાર 395 એક્ટિવ કેસ છે
ભારતમાં પ્રથમવાર 69 હજાર 652 કેસ નોંધાયા છે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં કોરોનાના 6 લાખ 86 હજાર 395 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 53 હજાર 866 લોકોના જીવ ગયા છે. જ્યારે 20 લાખ 96 હજાર 665 લોકો કોરોનની ઝપેટમાં આવી ચૂક્યા છે.
24 કલાકમાં કયા રાજ્યમાં સૌથી વધારે મોત
કોરોનાને લીધે એક દિવસમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. અંહી 346 લોકોના જીવ ગયા છે. ત્યારે પંજાબમાં 22, મધ્ય પ્રદેશમાં 18, ગુજરાતમાં 17, ઉત્તરાખંડમાં 14, જમ્મુ-કાશ્મીરમાં 11, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઓડિશા અને આસામમાં 10-10, દિલ્હીમાં 9, તેલંગાણામાં 8-8, કેરળમાં 7, પોંન્ડિચેરીમાં 6, છત્તીસગઢમાં 3-3 અને હિમાચલ પ્રદેશમાં 2 લોકોના મોત થાય છે. જ્યારે સિક્કિમ, લદ્દાખ, ચંદીગઢમાં 1-1 મોત થાય છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ટેસ્ટિંગ થાય છે
કોરોનાના ટેસ્ટિંગમાં ઉત્તર પ્રદેસ તમિલનાડુને પાછળ છોડી દીઈ નંબર વન બન્યુ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 7 હજાર 768 સેમ્પલની તપાસ થઈ છે આ બાદ યુપીમાં ટેસ્ટિંગ આંક 40 લાખને પાર થઈ ગઈ છે. તમિલનાડુમાં 38.5 લાખ ટેસ્ટ થયા તો યુપીમાં 40,75,174 સેમ્પલના ટેસ્ટ થયા.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 13, 165 નવા કેસ આવતા અહીં કુલ કેસ 6,28,642 થયા છે. જ્યારે દિલ્હીમાં 1398 નવા કેસ આવતા કુલ કેસ 1,56139 થયા છે. જ્યારે બિહારમાં કુલ કેસની સંખ્યા 112759 થઈ ગઈ છે. જ્યારે બુધવારે સૌથી વધારે કેસ 5156 મળ્યા છે. જેથી કુલ કેસની સંખ્યા 168556 થઈ છે.
ભારતમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધી છે. એક દિવસમાં 9 લાખથી વધુ ટેસ્ટ થાય છે. ભારતમાં કોરોનાનો પોઝિટીવીટી રેટ 8 ટકાથી નીચે આવ્યો છે. અગાઉ સરકારે પ્રતિ દિવસ 10 લાખ ટેસ્ટની વાત કરી હતી. કેન્દ્ર સરકાર ટેસ્ટિંગ, સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર આપી રહી છે. એક્ટીવ કેસમાંથી 0.28 ટકા દર્દી વેન્ટિલેટર પર છે. એક્ટીવ કેસમાંથી 1.92 ટકા દર્દીઓ ICUમાં છે. જ્યારે એક્ટીવ કેસમાંથી 2.62 ટકા દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.