ભારતમાં કોરોના સંક્રમણનું વધુ એક નવું વેરિએન્ટ મળ્યું છે. ડેલ્ટા પ્લસનું છે AY.4.2 વેરિએન્ટ રશિયા, બ્રિટન અને યુરોપ સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે.
ભારતમાં મળી આવ્યો નવો વેરિએન્ટ
બ્રિટનમાં મચાવી ચુક્યો છે તબાહી
ભારતમાં જોવા મળતા મચ્યો ખળભળાટ
ભારતમાં ઘટતા કોરોના સંક્રમણ કેસોની વચ્ચે એક ચિંતાજનક વાત સામે આવી છે. બ્રિટન અને યુરોપના ઘણા દેશોમાં તબાહી મચાવનાર કોવિડનું નવું વેરિએન્ટ Delta Plus-AY.4.2 હવે ભારતમાં પણ મળી ગયું છે. આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં વધારે સંક્રમણ ફેલાવી શકે છે.
ભારતમાં જોવા મળ્યો Delta Plus-AY.4.2 વેરિએન્ટ
સીએસઆઈઆર ઈન્સ્ટીટ્યુટ ઓફ જીયોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે દરેક AY.4.2ના ડેટા ફક્ત યુકેથી આવ્યા છે અને ભારતમાં પણ તેના અમુક કેસો સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક તેના પર નજર રાખીને બેઠા છે.
શું વેક્સિનથી બનતી ઈમ્યુનિટીને કરશે કમજોર?
શું નવો વેરિએન્ટ કોવિડ વેક્સીનથી બનતી ઈમ્યુનિટીને કમજોર કરી રહ્યો છે? તેના વિશે હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા. તેની સાથે જ હજુ સંક્રમણથી થનાર બિમારી કે મોત આ મ્યુટેશનથી થયા છે તેના પુરાવા હજુ ઘણા ઓછા મળ્યા છે.
INSACOGના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે જણાવ્યું કે ટૂંક સમયમાં જ આ વેરિએન્ટના કેસની જાહેરાત કરવામાં આવશે. INSACOG કોરોનાના જીનોમિક સીક્વન્સ પર કરામ કરનાર લેબ્સનો એક સંધ છે. INSACOGએ જણાવ્યા અનુસાર, 11 ઓક્ટોબર સુધી ભારતમાં AY વેરિએન્ટના 4 હજાર 737 કેસ સામે આવી ચુક્યા છે.
બ્રિટનમાં AY.4.2 વેરિએન્ટે એક વખત ફરી ત્યાં સંક્રમણ વધારી દીધું છે. યુકેએ વૈજ્ઞાનિકોના આ 'વેરિએન્ટ અંડ ઈન્વેસ્ટિગેશન'ના રૂપમાં ક્લાસિફાઈ કર્યું છે. યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યા અનુસાર, AY.4.2નો ગ્રોથ રેટ ડેલ્ટાની તુલનામાં 17% વધારે છે.
યુકેમાં 23 ઓક્ટોબરે 50 હજારથી વધારે કોવિડ કેસ નોંધાયા હતા. જે 17 જુલાઈ બાદ સૌથી વધારે હતા. યુકેમાં ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ કહેર મચાવી રહ્યા છે. પરંતુ હવે ત્યા AY.4.2 મળવાથી કેસ ઝડપથી વધી રહ્યા છે.
ભારત માટે કેમ છે ચિંતાની વાત?
યુકેથી આવનાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. ભારતે યુકેને તે દેશોની લિસ્ટમાંથી હટાવી દીધું છે જ્યાં ભારત આવનાર યાત્રીઓને 14 દિવસનો ક્વોરન્ટાઈન અને કોવિડના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા જરૂરી હતા. હવે નેગેટિવ રિપોર્ટ અને વેક્સીનેશન સર્ટિફિકેટ મંજૂર કરવામાં આવી રહ્યું છે.
ભારત માટે એક ચિંતાની વાત એ છે કે અહીં અત્યાર સુધી 30 ટકા આબાદીને જ વેક્સીનના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે દુનિયાના ઘણા દેશોમાં અત્યારે બૂસ્ટર શોટ પણ આપવામાં આવી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી બાળકોનું વેક્સીનેશન પણ શરૂ નથી થઈ શક્યું.