કોરોના વાયરસના ખતરાને જોતા કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીના કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યૂસી)માં કહ્યું કે કોવિડ-19 સામે લડવા માટે સ્થિર અને વિશ્વસનીય તપાસનો કોઈ વિકલ્પ નથી. તેમણે આગળ કહ્યું કે, સંકટના સમયે આપણા ડૉક્ટર, નર્સો, સ્વાસ્થ્યકર્મચારીઓને હંમેશા સહકારની જરુર હોય છે. સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉન જરુરી છે. પરંતુ આને તૈયારી વગર અમલમાં મુકવાથી લાખો પ્રવાસીઓ, મજૂરોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
સીડબલ્યૂસીની બેઠકમાં સોનિયાએ કહ્યું આનાથી ઘણા લોકોને સમસ્યા વધી
We meet today in midst of an unprecedented health and humanitarian crisis. The magnitude of the challenge before us is daunting but our resolve to overcome it must be greater: Congress Interim President Sonia Gandhi at Congress Working Committee meeting (via video conferencing) pic.twitter.com/yhl6sycoP1
ઉલ્લેખનીય છે કે સીડબ્લ્યૂસીની બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની વિરુદ્ધ કરવામાં આવેલી તૈયારીઓનો રિપોર્ટ મેળવ્યો હતો. તેમણે મહામારીનો સામનો કરી રહેલા લોકોનીસમસ્યા અને તેમને મળનારી સુવિધાઓની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં તમામ નેતાઓએ પોતાની વાત રજુ કરી હતી. આ ઉપરાંત કોરોના વાયરસને લઈને શુ વ્યવસ્થા કરવામાં આવી હતી તેની પણ ચર્ચા કરી હતી.
Congress Working Committee (CWC) meeting being held via video conferencing. Party Interim President Sonia Gandhi, Former Prime Minister Dr. Manmohan Singh, Rahul Gandhi, and other senior leaders are attending the meeting. (Picture Source - All India Congress Committee) pic.twitter.com/QiqwIC9bD8
બેઠકમાં સોનિયા ગાંધીની સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી,ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, કૈપ્ટન અમરિંદર સિંહ, અધિરંજન ચૌધરી, પીએલ શ્રીનિવાસન બીવી, મોતીલાલ વોરા, જિતિન પ્રસાદ જેવા નેતાઓએ હાજરી આપી હતી.
To fight #COVID19, there is no alternative to constant & reliable testing. Our doctors, nurses, & health workers need all the support. Personal Protection Equipment such as hazmat suits, N-95 masks must be provided to them on a war footing: Congress Interim President Sonia Gandhi https://t.co/nwYwcvyGKb
ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 50 લોકોના મોત નિપજ્યા છે . તેમજ 2 હજાર જેટલા લોકો કોરોના ગ્રસ્ત છે. દેશમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફક્ત 24 કલાકમાં 400 જટેલા નવા કેસ આવ્યા છે.