ગુજરાતમાં કોરોનાને લઇને ચાલી રહેલા લોકડાઉન વચ્ચે ગઇકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડને શરૂ કરવાને લઇને બેઠક યોજાઇ હતી. જેમાં આજથી માર્કેટિંગ યાર્ડને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માર્કેટિંગ યાર્ડની શરૂઆત થઇ ગઇ છે. રાજ્ય સરકાર દ્વારા શરતોને આધારે માર્કેટયાર્ડને મંજૂરી આપી છે.
આજથી રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડ શરૂ
યાર્ડના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજ્ય સરકારે શરતોને આધારે માર્કેટયાર્ડને આપી છે મંજૂરી
રાજકોટમાં આજથી બેડી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે આજથી યાર્ડના ગેટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળ્યો. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવ્યો. યાર્ડમાં પ્રવેશ કરતાં તમામ ખેડૂતોનું તાપમાન માપવામાં આવ્યું.
રાજ્ય સરકાર દ્વારા માર્કેટ યાર્ડને શરતોને આધારે મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આજથી શરતોને આધીન હરાજી શરૂ કરાઇ છે. જેમાં રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતોને તંત્ર દ્વારા માર્કેટ યાર્ડમાં બોલાવવામાં આવ્યાં.
જેને લઇને માર્કેટ યાર્ડમાં સવારે 7થી 9 વાગ્યા સુધી જ ખેડૂતોને બોલાવવામાં આવશે. હાલના સમયમાં માત્ર ઘઉંની જ હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી માર્કેટ માર્ડમાં સંપૂર્ણ તકેદારી રાખીને ઘઉંની હરાજી કરવામાં આવે છે.
શું છે નવા નિયમ?
રજિસ્ટ્રેશન કર્યું છે તેમાંથી 50 ખેડૂતોને બોલાવાશે
વાહનની અંદર એક ખેડૂત અને એક ડ્રાઇવર જ હોવો જોઇએ
ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ આપવું પડશે, ડ્રાઇવરનું હશે તો પણ ચાલશે
સવારે 7થી 9 સુધી જ વાહનોને એન્ટ્રી અપાશે
પહેલા 50 ખેડૂતોને બોલાવાશે અને વ્યવસ્થા યોગ્ય રહી તો 100 પણ બોલાવીશું
વ્યવસ્થા યોગ્ય રહી તો ઘઉં બાદ અન્ય આવક પણ શરૂ કરીશું