ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં લોકડાઉનનો પણ કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની સૌથી અગત્યની પ્રાથમિકતા એવી મેડિકલને લઇને અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા દવાની દુકાનને લઇને ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
આજથી અમદાવાદમાં મેડિકલ સ્ટોર નિશ્ચિત સમય સુધી ખુલ્લા રહેશે
સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે મેડિકલ સ્ટોર
લોકો સાંજે દવા લેવાના બહાને બહાર નીકળવાની મળી હતી ફરિયાદો
અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા દવાની દુકાન ખોલવાને લઈને સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે આજથી શહેરમાં દવાની દુકાનો સવારે 9થી સાંજે 5 વાગ્યાથી જ ખુલ્લી રહેશે.અમદાવાદમાં મેડિકલ સ્ટોર નિશ્ચિત સમય સુધી જ ખુલ્લા રહેશે.
અમદાવાદમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકડાઉન જાહેર કરાયા બાદ લોકો સાંજે દવા લેવાના બહાને બહાર નિકળવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ બાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા નિશ્ચિત સમય નક્કી કરાયો છે.
આમ રાજ્યભરમાં લોકો વારંવાર લોકડાઉનનું ઉલ્લંઘન કરતા જોવા મળતાં હોય છે. જ્યારે પણ લોકો બહાર આવે ત્યારે સૌથી વધારે મહત્વનું બહાનું હોય છે કે હું દવા લેવા બહાર આવ્યો છું. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ બનલે અમદાવાદમાં મેડિકલ એસોસિયેશન દ્વારા મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવાનો નિશ્ચિત સમય નક્કી કરી દીધો છે. આમ અગાઉ લોકો સાંજે દવા લેવાના બહાને બહાર નીકળવાની ફરિયાદો મળતી હતી. જે હવે આ નિર્ણય બાદ ઓછી થઇ જશે.