રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક છે. જેને લઇને સુરતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ રાજકોટ પહોંચી છે.
અભય ભારદ્વાજની તબિયત નાજુક
સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ રાજકોટમાં
કોરોના સંક્રમિત થયા બાદ હાલત નાજુક
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક છે. જેને લઇને સુરતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ રાજકોટ પહોંચી છે. સાથે જ અમદાવાદના ડોક્ટર્સની ટીમ પણ સારવારમાં ખડેપગે છે.
સુરતના ડો.સમીર ગામી ફેફસાંના નિષ્ણાંત છે. જ્યારે ડો.હિરેન વસતાપરા શ્વાસનળીના સ્પેશિયાલિસ્ટ છે. કોરોના સંક્રમિત થયા બાદ અભય ભારદ્વાજની હાલત નાજુક છે. અભય ભારદ્વાજની ECMOને ટ્રીટમેન્ટ શરૂ કરાઇ છે. સ્થિતિ વધુ ખરાબ થશે તો આજે અમદાવાદ લવાશે. સુરતના MLA હર્ષ સંઘવી પણ રાજકોટ પહોંચ્યા છે.
રાજકોટમાં સ્થિતિ વિકટ
રાજકોટમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ભારદ્વાજ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શહેરમાં સ્થિતિ એટલી વિકટ બની છે કે કલેક્ટર રેમ્યા મોહન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટના મેયર બિના આચાર્ય પણ કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે. અનેક પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે રાજકોટમાં કોરોનાએ માઝા મુકી છે તેમ કહીએ તો ખોટું નથી. તંત્ર કોરોનાનું સંક્રમણ ઓછુ ફેલાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે તેવા દાવા કરી રહ્યું છે. પરંતુ હાલ સ્થિતિ ખુબજ બની ગઈ છે
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને ડૉક્ટર અતુલ પટેલે કહ્યું કે, હાલમાં અભય ભારદ્વાજની સ્થિતિ અતિગંભીર છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમ સારવાર કરી રહી છે. ઓક્સિજન-કાર્બનડાયોકસાઇડનું લેવલ જળવાતું નથી. તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહે છે. શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રહે છે. ફેફસાંમાં લોહિના ગઠ્ઠા જામી જવાને કારણે સ્થિતિ નાજુક બની છે.
વધુમાં ડૉક્ટરે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 2 સપ્તાહમાં દર્દી રિકવર થઇ જતાં હોય છે. લોહીની નળી ખોલવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગઠ્ઠા ઓગળવા માટેની ખાસ દવા અપાય રહી છે. અભય ભારદ્વાજની હાલની સ્થિતિ અતિ જોખમી છે.
અમદાવાદના ત્રણ અને સુરતના એક એક્સપર્ટ ડૉક્ટરો કરી રહ્યા છે સારવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની હાલત ગંભીર થતા ચાર્ટર્ડ ફ્લાઈટમાં અમદાવાદથી કોરોનાના એક્સપર્ટ ત્રણ ડૉક્ટર રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે હાલ તેઓ ભારદ્વાજની સારવાર કરી રહ્યા છે. તો કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ રાજકોટમાં છે. ત્રણ ડૉક્ટર રાજકોટ મોકલવાનો મુખ્યમંત્રીનો નિર્ણય કર્યો હતો. આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમદાવાદના 3 ડોક્ટર્સ સાથે આવ્યો છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અનુસાર આવ્યો છું. અભરય ભારદ્વાજની સારવાર માટે ડૉક્ટર્સ આવ્યા છે. એઈમ્સના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે સુરતના નિષ્ણાંત ડૉ.સમીર ગામીની પણ મદદ લેવાઈ છે. ડોક્ટર ગામીને પણ રાજકોટ બોલાવાયા છે.