ગુજરાતમાં અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક સુધારા વધારા સાથે કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરવામાં આવશે. જાણો શું મળી છે છુટછાટ અને શું રહ્યું યથાવત?
હોટલ રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
5 ઓગસ્ટથી જીમ અને યોગા સેન્ટર ખોલી શકાશે
અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાશે
આજે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં કેન્દ્રની અનલોક 3ની ગાઈડલાઈન બાદ ગુજરાતમાં પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.
શું ખુલ્લું રહેશે શું બંધ
હોટલ રેસ્ટોરા રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
ગુજરાતમાં 1 ઓગસ્ટથી રાત્રી કફર્યૂમાંથી મુક્તિ
દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
SOP મુજબ જીમ અને યોગા સેન્ટર 5 ઓગસ્ટથી ખુલશે
અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાશે
શું છે કેન્દ્રની ગાઈડલાઈન
દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે કેન્દ્ર સરકારે અનલોક -3 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ 1લી ઓગસ્ટથી દેશભરમાંથી નાઈટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. અને 5 ઓગસ્ટથી સામાજિક અંતર અને નિયમો સાથે જીમ અને યોગા સેન્ટરને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 31 ઓગસ્ટ સુધી સ્કૂલ – કોલેજ, મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ પહેલાની જેમ બંધ રહેશે.. સાથે જ જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આગામી 1થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. જો કે ગાઇડલાઇન અનુસરીને લોકો 15મી ઑગસ્ટની ઉજવણી કરી શકશે. 31 ઓગસ્ટ,2020 સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન જાળવી રાખવાનું રહેશે. ફક્ત અત્યંત આવશ્યક હોય તેવી જ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવશે.