ભારતમાં ચાર લોકડાઉન બાદ UNLOCK 1ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તબક્કા વાર 1લી જૂનથી 30મી જૂન સુધીમાં બધુ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે જ્યાં હમણાં તો કોઈ ખાસ છૂટછાટ નહીં મળે.
આજે કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરાશે
રાજ્ય સરકાર કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે
કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો યથાવત રહેશે
અનલોક-1માં કન્ટેનમેન્ટ વિસ્તારમાં પ્રતિબંધ યથાવત રખાયો છે ત્યારે નવા કન્ટેનમેન્ટ ઝોન આજે જાહેર કરવામાં આવશે.
અત્યાર સુધીમાં જો નજર કરીએ તો કન્ટેનમેન્ટ ઝોનની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુરા, સરસપુર અને મણીનગર સહિતના વિસ્તારોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો હતો. જો કે વહીવટી તંત્ર દ્વારા નવા કન્ટેનમેન્ટ ઝોન આજે જાહેર કરવામાં આવશે
આ વિસ્તાર પણ છે કન્ટેનમેન્ટ ઝોનમાં
રાજકોટ શહેરના જંગલેશ્વર અને રાજકોટ જંક્શન તેમજ કીટીપરા વિસ્તારનો સમાવેશ થતો હતો . જ્યાં કોઇ છૂટછાટ નહીં મળી શકે.જ્યારે સુરતની વાત કરીએ તો લીંબાયત, ડીંડોલી સંજય નગર, ઉમરવાડા પરવટ, વિહળનગર-વરાછા, ગરીબ આવાસ, રાંદેર વિસ્તાર, રઘુવીર સોસાયટી, શાસ્ત્રીનગર, ઉધના અને સરથાણા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરાયા હતા.
એ સિવાય આવતી કાલથી ગુજરાતમાં તબક્કાવાર લોકડાઉનને અનલોક કરવામાં આવશે.