મહામારીમાં કર્મચારીઓ માટે પ્રખ્યા અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ છોડી ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો.
કોરોના અને લોકડાઉનની વિપરીત અસરો દેખાવાની શરૂ
અમદાવાદના મોટા ટ્રાવેલર્સએ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો
કોરોનાથી ટ્રાવેલ ઉદ્યોગ ઠપ્પ થતા અન્ય ઉદ્યોગ શરૂ કર્યો
કોરોના અને લોકડાઉનની વિપરીત અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. અમદાવાદના મોટા ટ્રાવેલર્સે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. કોરોનાના કારણે ટ્રાવેલ ઉદ્યોગ ઠપ્પ થતા અન્ય ઉદ્યોગ તરફ વળ્યા છે.
અજય મોદી અમદાવાદના મોટો ટ્રાવેલર્સ છે. હાલ ટ્રાવેલ ઉદ્યોગ સંપૂર્ણ ઠપ્પ થતા અન્ય વિકલ્પ અપનાવ્યો છે. પોતાની ટ્રાવેલ ઓફિસમાં જ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. અને અન્ય ટ્રાવેલર્સ પણ બીજા ઉદ્યોગ તરફ વળ્યાનો દાવો કર્યો છે.
કોરોના મહમારીમાં લોકોડાઉનને કારણે અને કોરોનાના ફેલાવાને કારણે નોકરી ધંધા અને ખાસ કરીને ટ્રાવેલ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. જો સરળ રીતે કહીએ તો આ ઉદ્યોગ જ ઠપ્પ થઈ ગયો છે. ત્યારે લોકો બીજા નોકરી ધંધા તરફ વળી પણ ક્યાં જાય? એવામાં અજય મોદીએ એક નવો જ કિમિયો અજમાવીને પોતાના કર્મચારીઓ માટે એક નવી દિશા ખોલી નાંખી છે.