પૂર્વ AMC કમિશનર વિજય નેહરાને લઈને રાજકારણ ગરમાયુ છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ વિજય નેહરાનો પક્ષ અને વિરોધ કરીને રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ કરી રહ્યા છે કે વિજય નેરહાનો ભોગ લેવાયો છે તો ભાજપના નેતાઓએ ટ્વિટ કર્યુ હતુ આ ટ્વીટ વિવાદના મધપૂડા છેડ્યા હતા. પંકજ શુક્લા અને દેવુસિંહ ચૌહાણે વિજય નેહરા પર આક્ષેપ કર્યા હતા.
પૂર્વ AMC કમિશનર પર ભાજપના નેતાઓએ કર્યુ ટ્વિટ
પંકજ શુક્લા અને દેવુસિંહ ચૌહાણે વિજય નેહરા પર કર્યા આક્ષેપ
વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હોવાના આક્ષેપ
વિજય નેહરાની બદલી થતા રાજકારણ ગરમાયું છે અને આ વિજય નેહરા ઉપર એવા આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે તેમણે પબ્લિસિટી અને પ્રચારમાં જ સમય વાપર્યો અને અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધી હતુ. વિજય નેહરા પર દેવુસિંહ ચૌહાણે પોતાનું નિવેદન આપતા કેટલા આક્ષેપો કર્યા હતા તેમનું કહેવું હતુ કે વિજય નેહરા પ્રજાનું હિત નહોતો જોઈ શકતા. વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેમણે અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ હતુ. આ અંગેની ટ્વિટ જો કે તેઓએ પછીથી ડિલિટ પણ કરી હતી.
વિજય નેહરા પર પંકજ શુક્લાએ પણ આક્ષેપ લગાવ્યા હતા. અમદાવાદમાં 8 લાખ કેસ થવાના ભ્રામક આંકડા આપ્યા હતા. વિજય નેહરાએ લોકોમાં ડર ઉભો કર્યો હતો. અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ.વિજય નેહરા પોતે ક્વોરન્ટાઈન થઈ ગયા હતા.
કોગ્રેસના નેતા જયરાજસિંહે કહ્યુ હતુ કે, વિજય નેહરા ભાજપના રાજકારણનો ભોગ બની ગયા હતા અને તેમની આંતરિક નીતિને કારણે જ તેમની હકાલપટ્ટી થઈ હતી.
સળગતા સવાલ
અધિકારીઓ લોકોની પરેશાનીને બહાર લાવે તે કોઈ ગુનો છે?
કોરોનાની સચ્ચાઈ બહાર લાવતા અધિકારીઓનું ટ્રાન્સફર કેમ?
સારું કામ કરતા અધિકારીઓનું કેમ ટ્રાન્સફર કરી દેવાયું?
લોકોના હિતમાં કામ કરતા અધિકારીની કેમ બદલી કરાઈ?
સરકારના વિરૂદ્ધમાં જઈને કામ કરશો તો બદલી જ કરશો?
શું સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા વિજય નેહરાને ટાર્ગેટ કરી રહી છે?
શું કમિશનર બદલાયા બાદ ખરેખર ટેસ્ટિગ વધ્યું છે?
AMC હાલમાં 11 હજાર ટેસ્ટ કરવાનો દાવો કરે છે તે કેટલુ સાચુ?
શું વિજય નેહરા રાજકારણનો ભોગ બન્યા?
જે સરકારને વિજય નહેરા સરકારને પ્રિય હતા તે કેમ આંખમાં ખૂંચવા લાગ્યા?