ગુજરાતમાં કોરોનાને કારણે જે લોકો મજૂર વર્ગ છે અથવા ખુલ્લા આકશ અને ઉઘાડી ધરતી માથે જેમનું ઘર છે તેવા ઘરવિહોણા લોકો માટે અમદાવાદ કોર્પોરેશન, પોલીસ, સામાજિક સંસ્થાઓ અને સોસાયટીઓએ પોતાના રસોડા ખુલ્લા મુકી દીધા છે હાલ હજારો ફૂડ પેકેટ રોડ ઉપર ફરજ બજાવતા લોકો માટે અને જેમને ઘર નથી અને ભટકી પડ્યા છે તેમના માટે તૈયાર કરાઈ રહ્યા છે અને ખુબ સરસ રીતે પહોંચાડાઈ રહ્યા છે.
લોકોમાં માનવતા જાગી ઉઠી
મનપા અને સ્થાનિકો સાથે મળી કરી રહ્યા છે કામ
લોકડાઉનને લઈને સામાજિક સંસ્થાઓ આવી આગળ
અમદાવાદમાં ગરીબોની મદદે સામાજિક સંસ્થા આગળ આવી છે. પુરી-શાકના હજારો ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. 5 હજાર કરતા વધુ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ અને કોર્પોરેશનની મદદથી પેકેટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડાશે.
સોસાયટીઓ પણ આવી આગળ
હાલ કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. ગુજરાત પણ સંપૂર્ણ પણે બંધ છે. ત્યારે સ્વાભાવિક છે કે, રસ્તા પર રહેતા ગરીબ લોકો અને રાત-દિવસ આપણને બચાવવા માટે પોતાના જીવના જોખમે ફરજ નિભાવતા પોલીસ જવાનોની મુશ્કેલીઓ વધવાની. તેમની ખાવાપીવાની તકલીફો વધવાની. પરંતુ આ મુશ્કેલી સમયે એક એવી સોસાયટી સામે આવી જ્યાંના લોકોએ પોતાના ખર્ચે જમવાનું બનાવવાની શરૂઆત કરી છે. અને આ જમવાની જરૂરિયાત મંદો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ સોસાયટીએ ખોલ્યુ સદાવ્રત
અમદાવાદમાં લોકડાઉનની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ લોકડાઉન વચ્ચે પોલીસ અને ગરીબ પરિવારો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યાં છે. નારોલમાં શ્રીહરિ સોસાયટીના રહીશોએ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. પુરી-શાક અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. પોઇન્ટ પર ખડેપગે રહેલા પોલીસ જવાનો અને વતન પરત ફરી રહેલા લોકોને ફૂડ પેકેટ સપ્લાય કરવામાં આવી રહ્યાં છે.