ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 1002 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં નવા 228 કેસ
ગુજરાતમાં કુલ કેસ 1604
ગુજરાતમાં મોત 5
આરોગ્ય વિભાગના અગ્રસચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે.