કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે આ વાતનો કોઇ પુરાવો નથી જે દર્દી ઠીક થઇ ગયા છે, એમને ફરીથી કોરોના સંક્રમણ થશે નહીં.
કોરોના સંક્રમિત દર્દીઓની ઇમ્યૂનિટીને કોઇ ગેરંટી નથી
કોરોનાથી પીડિત થયા બાદ ફરીથી બિમાર પડવાનું જોખમ ઓછું છે એવા કોઇ પુરાવા નથી
ઘણા દેશોની સરકાર મોટા પાયા પર એન્ટીબૉડી ટેસ્ટિંગની યોજના બનાવી રહી છે
એક રિપોર્ટ અનુસાર WHOએ એ દેશોને ચેતાવણી આપી છે જે એન્ટીબૉડીઝ ટેસ્ટ પર ખૂબ પૈસા ખર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. WHOએ કહ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓની ઇમ્યૂનિટીને કોઇ ગેરંટી નથી.
આ પહેલા ઘણા મેડિકલ એક્સપર્ટ તરફથી એવુ કહેવામાં આવી રહ્યું છે કે એક વખત સંક્રમિત થયા બાદ મોટાભાગે લોકોમાં ઇમ્યૂનિટી ડેવલોપ થઇ જશે. જો કે દક્ષિણ કોરિયામાં 100થી વધારે દર્દીઓને ફરીથી સંક્રમિત થવાની માહિતી આવી ચુકી છે. કોરિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જો કે કેટલાક મેડિકલ જાણકારોએ કહ્યું હતું કે બની શકે છે કે પહેલી વખત ભૂલથી આવા દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવી ગયા હશે.
અત્યાર સુધી ઘણા લોકો એવું સમજી રહ્યા હતા કે કોરોનાથી પીડિત થયા બાદ ફરીથી બિમાર પડવાનું જોખમ ઓછું છે. પરંતુ WHOએ કહ્યું છે કે આ વિચારને લઇને કોઇ મજબૂત પુરાવા નથી.
બ્રિટિશ સરકાર 3 કરોડ 50 લાખ એન્ટીબૉડીઝ ટેસ્ટ કિટ ચીન પાસેથી ખરીદવાની યોજના બનાવી હતી. એ દ્વારા એવુ જાણવાનું હતું કે કોઇ વ્યક્તિ પહેલાથી કોરોનાથી સંક્રમિત થઇ ગયું છે કે નહીં, પરંતુ જ્યારે ખબર પડી કે ચીન કંપની તરફથી બનાવવામાં આવેલી કિટ બિલકુલ ખોટા રિઝલ્ટ આપે છે તો સરકાર હવે પોતાના પૈસા પાછા લેવાનો પ્રયત્ન કરી રહી છે.
જો કે હજુ પણ ઘણા દેશોની સરકાર મોટા પાયા પર એન્ટીબૉડી ટેસ્ટિંગની યોજના બનાવી રહી છે કારણ કે એવું ખબર પડે કે કયા લોકો કોરોનાથી સંક્રમિત થઇને હવે ઠીક થઇ ગયા છે.
જો કે WHOના ઇમરજેન્સી પ્રોગ્રામ એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર માઇક રયાને કહ્યું કે એને લઇને પૂરતા પુરાવા છે કે કોરોનાથી લડી ચુકેલા લોકો ભવિષ્યમાં બિમારીથી ઇમ્યૂન થઇ જશે. એમને કહ્યું - કોઇ પણ વ્યક્તિને એવું નથી ખબર કે જે લોકોના શરીરમાં એન્ટીબૉડીઝ છે એ પૂરી રીચે બિમારીથી સુરક્ષિત છે. સાથે જ ઘણા ટેસ્ટમાં સેન્સિટિવિટી ઇશ્યૂ પણ જોવા મળી છે.