કોરોના વાયરસ સામે ઝઝુમી રહેલી વિશ્વ માટે સારા સમાચાર આવી રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે. દરવાજાના હેન્ડલ કે બટનને અડવાથી કોરોના વાયરસ નથી ફેલાતો.
દરવાજાનું હેન્ડલ કે બટન દબાવવાથી નથી ફેલાતો કોરોના
અમેરિકી યુનિવર્સિટીના સંશોધનમાં કરાયો દાવો
સપાટી પર પડેલો વાયરસ નબળો હોઈ મનુષ્યને બીમાર ન કરી શકે
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલા સંશોધનમાં સામેલ પ્રોફેસર મોનિકા ગાંધીએ કહ્યું કે સપાટી પર ફેલાયેલા કોરોના વાયરસમાં એટલી શક્તિ નથી હોતી કે તે મનુષ્યને સંક્રમિત કરીને બીમાર પાડી શકે. એનો મતલબ એમ થયો કે દરવાજાના હેન્ડલ કે બટનને અડવાથી કોરોના વાયરસ નથી ફેલાતો.
દરવાજાના હેન્ડલ કે બટનને અડવાથી નથી ફેલાતો કોરોના પણ કોરોનાને અટકાવવા હાથ ધોવા, ચહેરાને ન અડવા પર વધુ ધ્યાન રાખવું પડશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ કોરોનાને અટકાવવા કારગર છે. જેને તેનું પાલન કરવું જોઈએ.
પ્રોફેસર ગાંધીએ કહ્યું કે સપાટીના માધ્યમથી કોરોના નથી ફેલાતો. શરુઆતમાં સંક્રમણ પદાર્થોને લઈને અનેક ડર હતા. હવે અમે જાણીએ છીએ કે કોરોના ફેલાવાનું મુખ્ય કારણ સપાટી અને આંખોને ટચ કરવાનું નથી. તેમણે કહ્યું તે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના ફેલાય છે. જો કોરોનાગ્રસ્તના નાકમાંથી પાણી વહી રહ્યુ છે અને ઉલ્ટી થઈ રહી છે. તો તેનાથી પણ ફેલાય છે.