ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનોજ તિવારી લૉકડાઉન તોડીને પોતાના સમર્થકો સાથે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે રાજઘાટ પર પ્રદર્શન માટે પહોંચેલા મનોજ તિવારીને પોલીસે અટકાયત કરી હતી. લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન માટે મનોજ તિવારીની અટકાયત કરાઇ હતી.
મનોજ તિવારીનું લૉકડાઉન તોડીને પોતાના સમર્થકો સાથે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન
દિલ્હી પોલીસે મનોજ તિવારીની લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘનને લઇને અટકાયત કરી
ભાજપના નેતા મનોજ તિવારીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કેજરીવાલ સરકાર દિલ્હીના લોકો માટે બેડની વ્યવસ્થા કરે. તેઓએ કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા આપ્યા વિના દર્દીઓને પ્રવેશ મળી રહ્યો નથી. તેઓએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકાર પાસે જાહેરાત આપવાના પૈસા છે પરંતુ સેલરી આપવાના પૈસા નથી. દિલ્હીની સારી વ્યવસ્થા માત્ર વાતો છે, જમીની હકીકત જુદી છે.
જોકે, અટકાયતમાં લીધા બાદ મનોજ તિવારીએ લૉકડાઉન તોડવાની વાત ફગાવી દીધી. માસ્ક લગાવેલા દિલ્હી ભાજપના અધ્યક્ષે કહ્યું કે અમે વિરોધ પ્રદર્શન સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે કરી રહ્યા હતા અને પોલીસનું સન્માન કરીએ છીએ. તેઓએ કહ્યું કે અમે લોકો નિયમ-કાયદા મુજબ જ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
અમે લોકો દિલ્હી સરકાર જે દિલ્હીની સાથે અન્યાય કરી રહી છે, તેને અન્ડરલાઇન કરી રહી છે. અમે લોકો માત્ર પાંચ-છ લોકો છીએ, અમે કોઇ ઉલ્લંઘન નથી કર્યું. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જોકે કેજરીવાલ સરકારે અહીં લોકોને ઘણા પ્રકારની છૂટ આપી છે. દિલ્હીમાં કોઇપણ પ્રકારના વિરોધ પ્રદર્શન, આંદોલન અથવા ટોળાના એકઠા થવા પર પ્રતિબંધ છે.