દેશમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે એક મહિનામાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં 85 ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાં કોરોનાની નવી લહેર લાવશે તબાહી
એક મહિનામાં સક્રિય દર્દીની સંખ્યા 85 ટકા વધી
79 ટકા કેસ ફક્ત 5 રાજ્યોમાં જોવા મળ્યા
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 35871 નવા કેસ અને 172 મોત થયા છે. તેની સાથે જ સારવાર લેનારા કોરોના દર્દીની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 1 મહિનામાં સક્રિય દર્દીની સંખ્યામાં 85 ટકાનો વધારો થયો છે અને કેસની સંખ્યા વધીને 2 લાખ 52 હજાર 364 સુધી પહોંચી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 17 ફેબ્રુઆરીએ દેશમાં 1 લાખ 36 હજાર 549 સક્રિય કેસ હતા. તે સમયે સક્રિય કેસ સતત ઘટી રહ્યા હતા. પણ છેલ્લા એક મહિનાથી તેમાં વધારો આવ્યો છે. તેનું કારણ એ છે કે નવું સંક્રમણ વધી રહ્યું છે અને સ્વસ્થ થઈને પરત ફરનારાની સંખ્યા ઘટી છે. 24 કલાકમાં 17958 સક્રિય કેસ વધ્યા છે તો સ્વસ્થ થનારાની સંખ્યા 17741 રહી છે.
દેશમાં અત્યારે 2.20 ટકા સક્રિય કેસઃ મંત્રાલય
મંત્રાલયના આંકડા અનુસાર 6 ડિસેમ્બર બાદ ગુરુવારે સૌથી વધુ નવું સંક્રમણ જોવા મળ્યું છે. ત્યારે 36011 નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાથી અત્યારસુધી સંક્રમિત થનારાની સંખ્યા 1 કરોડ 14 લાખ 74 હજાર 604 થઈ છે.મૃતકોની સંખ્યા 1 લાખ 59 હજાર 216 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં 2.20 ટકા સક્રિય કેસ છે.
कोरोना वायरस के 79.54% नए मामले महाराष्ट्र, पंजाब, कर्नाटक, गुजरात और तमिलनाडु से हैं: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
મંત્રાલયે કહ્યું છે કે 5 રાજ્યો - મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં 79.54 ટકા નવા કેસ આવ્યા છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ 63.21 ટકા એટલે કે 16620 નવા કેસ આવ્યા છે. કેરળમાં 1792 તો પંજાબમાં 1492 કેસ નોઘાયા છે.
400 લોકો કોરોનાના નવા પ્રકારથી સંક્રમિતઃ મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોરોનાના બ્રિટન, દ. આફ્રિકા તથા બ્રાઝિલમાં મળનારા નવા પ્રકારના દેશમાં 400 કેસ જોવા મળ્યા છે. તેમાંથી સૌથી વધારે કેસ બ્રિટનમાં છે, આ દેશથી આવનારા લોકો કોરોના પોઝિટિવ આવતા વાયરસના જિનોમ સિક્કેસિંગ થાય છે અને પછી પરિણામ આવે છે. દેશની 10 પ્રયોગશાળામાં અત્યાર સુધી નમૂનાના સિક્કેસિંગ કરાયા છે.
भारत में कल तक कोरोना वायरस के लिए कुल 23,03,13,163 सैंपल टेस्ट किए जा चुके हैं, जिनमें से 10,63,379 सैंपल कल टेस्ट किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/o00HuLppiu
ભારતમાં કોરોનાનું સતત વધતું જતું સંક્રમણ
એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 39 હજાર 643 થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 20 હજાર 338 દર્દી રિકવર થયા હોવાનુ સામે આવ્યું છે. તો અન્ય તરફ એક દિવસમાં દેશમાં કોરોનાથી 155 દર્દીના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 68 હજાર 338 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 15 લાખ 13 હજાર 945 થયા છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 10 લાખ 81 હજાર 508 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 59 હજાર 405 થયો છે.