શનિવારે 24 કલાકમાં આવેલા આંકડાએ દોઢ લાખનો આંક પાર કર્યો છે. કોરોનાની બીજી લહેર દેશમાં અનેક પાબંધીઓ લાવી શકે છે.
દેશમાં કોરોનાનો વધતો કહેર
24 કલાકમાં આવ્યા 1.52 લાખથી વધુ કેસ
838 મોત સાથે મચાવી રહ્યો છે હાહાકાર
જાણો શું કહે છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ આવતાં ફરી એક વાર હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે. તો દેશમાં કોરોનાથી એક દિવસમાં 838ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 90 હજાર 328 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 11 લાખ 2 હજાર 370 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 33 લાખ 55 હજાર 465 નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 20 લાખ 78 હજાર 333 પહોંચી છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 69 હજાર 305 થયો છે.
ઓક્ટોબર બાદ 1 દિવસના સૌથી વધુ મોત
મોતના આંક પર નજર કરીએ તો ઓક્ટોબર બાદ એક દિવસના સૌથી વધુ મોત છે. આ રીતે દેશમાં મોતની સંખ્યા 169270 થઈ ચૂકી છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા સતત 32 મા દિવસે વધી રહી છે. દેશમાં 12 ફેબ્રુઆરીએ આ સંખ્યા સૌથી ઓછી એટલે કે 1,35,926 હતી. તે એ સમયના કુલ કેસના 1.25 ટકા હતી. હાલમાં આ સંખ્યા 1,19,90,859 પહોંચી છે. કોરોનાનો મૃત્યુદર 1.28 ટકા રહ્યો છે.
આટલા પ્રમાણમાં થયું છે ટેસ્ટિંગ
આઈસીએમઆરના અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 25,52,14,803 ટેસ્ટની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 11,73,219 કેસની તપાસ શુક્રવારે કરાઈ હતી.
છેલ્લા 24 કલાકમાં જે 794 લોકોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એટલે કે 301 મોત થયા હતા. છત્તીસગઢમાં 91, પંજાબમાં 56, કર્ણાટકમા 46, રાજસ્થાનમાં 32, મધ્યપ્રદેશમાં અને તમિલનાડુમાં 23-23, કેરળમાં 22, ઝારખંડમાં 17, આંધ્રમાં અને હરિયાણામાં 11-11 લોકો સામેલ છે. મહારાષ્ટ્રમાં 57329 મોત થઈ ચૂક્યા છે. ત્યારબાદ તમિલનાડુમાં 12863, યૂપીમાં 9039, દિલ્હીમાં 11196 મોત થયા છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 55,411 नए मामले सामने आए हैं। 53,005 लोग डिस्चार्ज हए और 309 लोगों की मृत्यु दर्ज़ की गई।
દેશમાં મહામારીના પ્રકોપની વચ્ચે પણ દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ બીમારીથી છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. આ રાજ્યોમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અરુણાચલ પ્રદેશ, દાદર અને નાગર હવેલી, દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પોંડિચેરી, સિક્કિમ અને ત્રિપુરા સામેલ છે.