ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના સૌથી વધુ હોટસ્પોટ ગણાતા અમદાવાદ શહેરમાં આજથી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આજથી શહેરની અંદર અન્ય ગામમાંથી આવતા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં
ગામડામાંથી આવતા લોકોનું આજથી કરાશે સ્ક્રિનિંગ
શહેરને જોડતા 8 સ્થળોએ થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા
રાજ્યમાં કોરોનાના માટે હોટસ્પોટ ગણાતાં અમદાવાદમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળ્યો છે. હાલમાં શહેરમાં કોરોનાના કુલ 243 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કોટ વિસ્તારમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયાં છે. શહેરમાં હજુ પણ 1275 લોકોના રિપોર્ટ પેન્ડિંગ જોવા મળ્યાં છે.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.. શહેરની અંદર અન્ય ગામમાંથી આવતા લોકોનું આજથી સ્ક્રિનિંગ કરાશે. અમદાવાદ શહેરને જોડતા 8 સ્થળોએ પ્રવેશ માટે થર્મલ સ્ક્રિનિંગની સુવિધા ઉભી કરાઈ છે.
જેમાં ધોળકાથી આવતા બારકોલ સર્કલ, બાવળાથી આવતા સનાથલ સર્કલ, સાણંદથી આવતા શાંતિપુરા સર્કલ, દસ્ક્રોઈથી આવતા કમોડ સર્કલ પર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. ગામમાંથી આવદા દૂધ અને શાકભાજીના વાહનોની હેર-ફેરને લઈને તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.
આ સાથે કોરોનાના કહેરને લઈને અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં પણ સેનેટાઈઝેશનની મશીન મુકવામાં આવી રહી છે. ત્યારે હવે રામોલ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ સેનેટાઈઝેશન મશીન મુકાઈ છે. પોલીસ સ્ટેશનમાં આવતા તમામ લોકોને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.