ઉત્તર પ્રદેશના અલીગઢમાં લોકડાઉનનુ પાલન કરાવવા આવેલી પોલીસ પર જબરજસ્ત પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. તેના માથા પર ઈજા થઈ હતી. લોકડાઉન દરમિયાન સવારે 6થી 10 વાગ્યા સુધી માર્કેટ ખોલવાનો સમય છે. સમય પુરો થતા પોલીસ માર્કેટ બંધ કરાવવા માટે ગઈ હતી. આ દરમિયાન ભીડે પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.
કોતવાલીના ભૂજપુરાની ઘટના બન્ને તરફથી પ્થર મારો થયો
પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ
અંતે પોલીસ દળ ઉતારવામાં આવતા સ્થિતિ કાબુમાં છે
મળતી જાણકારી મુજબ અલીગઢ શહેરના કોતવાલી સ્થિતિ ભુજપુરામાં તંત્ર દ્વારા સવારે 6થી 10 વાગ્યા સુધી બજાર ખોલવાની છુટ આપવામાં આવી છે. આ સમય પુરો થતા પોલીસકર્મીઓ શાકભાજી તથા અન્ય દુકાનદારોને લોકડાઉનનું પાલન કરવવા માટે ગયા હતા. તેમજ દુકાન બંધ કરવા કહ્યું હતું.
આ દરમિયાન પોલીસ તથા દુકાનદારોની વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનીક ખુમ્ચાવાળાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. જોત જોતામાં આ ઘટનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. તેઓએ પોલીસ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. આ માહિતી મળતાની સાથે એક મોટુ પોલીસ દળ તથા નિગમ કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ દરમિયાન બન્ને વચ્ચે લાંબા સમય સુધી પથ્થર મારો ચાલ્યો હતો. જોકે ઘટના સ્થળે પહોંચેલા પોલીસ દળે લોકોને હકાલી કાઢ્યા હતા. તેમજ બજારમાં રોડ પર લગાવેલી દુકાન, શાકભાજી કે ફળ વેચનારાઓ સામાન મુકીને ભાગી ગયા હતા. હાલમાં સ્થિતિ કાબુમાં છે. આ ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.