સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 3.32 લાખ સક્રિય કેસ છે.કોરોના કેસમાં થોડી રાહત મળ્યા બાદ દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક વધી રહ્યો છે.
સતત બે દિવસથી કોરોનાના ૩૦ હજાર કેસ
મૃત્યુઆંક પણ વધ્યો
પાંચ રાજ્યોના આંકડા હજુ પણ ચિંતાજનક
ફરી વધ્યા કોરોના મૃત્યુઆંક
કોરોના કેસમાં થોડી રાહત મળ્યા બાદ દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક વધી રહ્યો છે. સતત બે દિવસથી સંક્રમિતોનો આંકડો પણ 30 હજારથી ઉપર આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 કેસ નોંધાયા છે. આ દરમિયાન 541 લોકોના મોત થયા હતા.
India reports 30,757 fresh COVID cases, 541 deaths, and 67,538 recoveries in the last 24 hours
Active case: 3,32,918
Daily positivity rate: 2.61%
Total recoveries: 4,19,10,984
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 3.32 લાખ સક્રિય કેસ છે. તે જ સમયે, રોગચાળાની શરૂઆતથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4.19 કરોડ થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે દૈનિક સંક્રમણનો દર ઘટીને 2.61 ટકા થઈ ગયો છે. દેશમાં રિકવરી રેટ વધીને 98.03 ટકા થઈ ગયો છે.
આ પાંચ રાજ્યોના આંકડા હજુ પણ ચિંતાજનક
દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેરળમાં છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 12,223 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર 2,748 કેસ સાથે બીજા સ્થાને છે. કર્ણાટક ત્રીજા સ્થાને છે જ્યાં કોરોનાના 1,894 દર્દીઓ મળી આવ્યા છે. રાજસ્થાન જ્યાં ચોથા નંબર પર 1,702 કેસ છે, જ્યારે મિઝોરમ પાંચમા નંબર પર છે જ્યાં 1571 લોકો વાયરસની પકડમાં આવ્યા છે.
કોરોના રસીકરણનો આંકડો 174 કરોડને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના 174 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 34.75 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.