નવી દિલ્હીઃ મક્કા-મસ્જિદ બ્લાસ્ટ મામલે નિર્ણય આવતા જ રણનીતિ હેઠળ કોંગ્રેસ બેકફુટ પર નજરે આવી. જેમજ આ મામલે નિર્ણય આવ્યો ત્યારે સંગઠન મહાસચિવ અશોક ગેહલોત પાર્ટીના મહાસચિવો અને પ્રભારીઓ સાથે 29 એપ્રિલની રેલીની તૈયારીઓ માટે બેઠક કરી રહ્યા હતા.
બેઠક બાદ પાર્ટીની રેલીની માહિતી આપવા મીડિયા સમક્ષ આવેલ ગેહલોતે મક્કા-મસ્જિદ બ્લાસ્ટનો સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે સરકારને નિર્ણય લેવાનો છે કે તેઓ આ મામલે આગળ અપીલ કરશે કે નહીં. આ કોર્ટનો મામલો છે એટલા માટે આના પર કોમેન્ટ નથી કરવી.
આઝાદે છોડાવ્યો પીછો
ત્યારબાદ કઠુઆ મામલે ગુલામ નબી આઝાદ નિવેદન આપ્યા માંગતા હતા તો મીડિયા સામે ખુલીને આવ્યા. પરંતુ મીડિયાએ સિધો મક્કા મસ્જિદનો સવાલ પૂછ્યો હતો. આઝાદે જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે આગળની કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલો છે.
સૌથી મોટી ચોંકાવનારી વાત રહી કે આવા મુદ્દા પર નિવેદન કરનારી પાર્ટીના મહાસચિવ પણ કોંગ્રેસ મુખ્યાલયમાં હતા. પરંતુ તેમણે આના પર કંઇ પણ બોલવાની ના પાડી દીધી હતી. તે સિવાય યૂપીએ રાજમાં ગૃહ મંત્રી રહી ચૂકેલા સુશીલ કુમાર શિંદે અને પી.ચિદંબરમે પણ મૌન રહેવાનું પસંદ કર્યું.