કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોટા ભાગે દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી સહિત કેટલાય મુદ્દાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરતા રહે છે.
કોંગ્રેસના નેતાએ મોદી સરકારનો ઘેરાવ કર્યો
કેન્દ્ર સરકાર પર મોંઘવારીને લઈને પ્રહારો કર્યો
જમ્મુ કાશ્મીરમાં પંડિતોની વેદનાને વાચા આપી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોટા ભાગે દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી સહિત કેટલાય મુદ્દાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરતા રહે છે. આ વખતે ફરી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈને કેન્દ્રની મોદી સરકારનો ઘેરાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઘરનું સરનામુ કલ્યાણ માર્ગ રાખવાથી કોઈનું કલ્યાણ નહીં થાય.
घर का पता 'लोक कल्याण मार्ग' रख लेने से लोगों का कल्याण नहीं होता।
प्रधानमंत्री ने साढ़े 6 करोड़ कर्मचारियों के वर्तमान और उनके भविष्य को बर्बाद करने के लिए 'महंगाई बढ़ाओ, कमाई घटाओ' मॉडल को लागू किया है। pic.twitter.com/lr1prlOZEa
રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને ડાયરેક્ટ કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસ નેતાએ મોદી સરકારને એક રીતે જોવા જઈએ તો, સરકારનો ઘેરાવ કર્યો છે. અને કહ્યુ છે કે, ઘરનું સરનામુ લોક કલ્યાણ માર્ગ રાખવાથી કોઈનું કલ્યાણ નહીં થાય. દેશમાં મોંઘવારી વધી રહી છે અને લોકોની કમાણી ઘટી રહી છે.
बैंक मैनेजर, टीचर और कई मासूम लोग रोज़ मारे जा रहे हैं, कश्मीरी पंडित पलायन कर रहे हैं।
जिनको इनकी सुरक्षा करनी है, उनको फिल्म के प्रमोशन से फुर्सत नहीं है। भाजपा ने कश्मीर को सिर्फ अपनी सत्ता की सीढ़ी बनाया है।
આ અગાઉ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્રની મોદી સરકારનો ઘેરાવ કર્યો હતો. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે, બેંક મેનેજર, શિક્ષક અને કેટલાય માસૂમ લોકો દરરોજ મરી રહ્યા છે. કશ્મીરી પંડિતો પલાયન કરી રહ્યા છે. જેમની સુરક્ષા કરવાની છે. તેમને ફિલ્મના પ્રમોશનમાંથી નવરાશ મળતી નથી. ભાજપે કશ્મીરને ફક્ત પોતાની સત્તાની સીડી બનાવી નાખી છે. કશ્મીરમાં શાંતિ જાળવવા માટે તાત્કાલિક પગલા ઉઠાવો પ્રધાનમંત્રીજી.