તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા પછી પાર્ટીના નેતાઓને મધ્યપ્રદેશમાં નવી માંગ રાખી છે. તેમને કહેવુ છે કે પાર્ટીના ટિકિટ પર કરિના કપૂર ખાનને ભોપલથી લોકસભાની ચૂંટણી લડવા માટે મૌકો આપવો જોઇએ.
રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસના નેતા ગુડ્ડુ ચૌહાન અને અનીખ ખાને આ માંગ રાખી છે. તેઓનુ કહેવુ છે કે આમ કરવાથી શહેરમાં ભાજપની સીટ જ કબ્જો મેળવી શકાશે કેમકે ત્યાં ભાજપની સ્થિતિ મજબૂત છે. તમને જણાવી દઇએ કે લાંબા સમયથી ભોપાલની જનતા ભાજપના ઉમેદવારને પસંદ કરી રહી છે.
ગુડ્ડુ ચૌહાન અને અનીસ ખાનનુ કહેવુ છે કે ''યુવાનોની વચ્ચે કરિના કપૂર ખાનની ફેન ફૉલોઇંગ વધારે છે તો તે લોકો કરિનાને વોટ કરી શકે છે.''
રિપોર્ટ્સ અનુસાર આ સાથે ગુડ્ડુ ચૌહાન અને અનીસ ખાને કહ્યુ કે મંસૂલ અલી ખાન પટૌડીની વહુ હોવાથી પણ કરિનાની ફેવરમાં લોકો વોટ કરશે. સૈફ અલી ખાનના પિતા મંસૂર અલી ખાનનો જન્મ ભોપાલમાં થયો હતો તો સાથે જ તેમના પિતા પણ ભોપાલના નવાબ હતા.
પટૌડી ફેમિલી ભોપાલ શહેરની વર્ષોથી જોડાયેલુ છે. શર્મિલા ટાગોર સૈફ અલી ખાન કરિના કપૂર ખાન અને સોહા અલી ખાન પણ ઘણી વખત ભોપાલની મુલાકાત લે છે.
આ સિવાય બંને કોંગેસના નેતાને લાગે છે કે જો કરિના પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે તો તમામ વોટ કોંગ્રેસ માટે આવશે. ગુડ્ડુ ચૌહાન અને અનીસ ખાન મુખ્યમંત્રી કમલનાથની સાથે મળીને આ વિષય પર ચર્ચા કરશે.
તમને જણાવી દઇએ કે 1991માં ભોપાલથી મંસૂર અલી ખાને ચૂંટણી લડી હતી પરંતુ ભાજપની સુશીલ ચંદ્ર વર્માએ 1 લાખથી વધારે વોટથી તેમણે હરાવી દીધા.