કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે નિધન થયું છે. આ જાણકારી તેમના દીકરા ફૈસલ પટેલે આપી છે. અહેમદ પટેલની તબિયત બગડતાં તેમને થોડા દિવસ અગાઉ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં કોરોના સંક્રમિત પણ થયા હતા.
કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું નિધન
દીકરા ફૈસલે આપી જાણકારી
મેદાંતા હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર
દીકરા ફૈસલે કરી ટ્વિટ
દીકરા ફૈસલે કહ્યું કે ગુજરાતના રાજ્યસભા સાંસદ આજે સવારે 3.30 વાગે નિધન પામ્યા છે. તેઓએ લખ્યું કે દુઃખ સાથે સૂચિત કરી રહ્યો છું કે મારા પિચા અહેમદ પટેલનું અસમાયિક નિધન થયું છે. એક મહિના પહેલાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને પછી મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમની તબિયત લથડી હતી. અલ્લાહ જન્નતુલ ફિરદૌસ બખ્શે. પટેલે પોતાના શુભ ચિંતકોને કોરોનાના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કરતાં રહ્યું કે સોશ્યિલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલ 1 ઓક્ટોબરે કોરોના સંક્રમિત થયા હતા. તેમને 15 નવેમ્બરે મેદાંતા હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરાયા હતા.
આવી રહી રાજકીય સફર
લોકસભામાં 3 અને રાજ્યસભામાં 5 કાર્યકાળ પૂરા કરી ચૂકનારા અહેમદ પટેલનું નિધન થયું છે. તેમને ઓગસ્ટ 2018માં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષના રૂપમાં નિમાયા હતા. અહેમદ પટેલે 1976માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં સ્થાનિક ચૂંટણી લડીને રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ગુજરાત અને કેન્દ્ર બંનેમાં કોંગ્રેસના સંગઠનાત્મક કામની કમાન સંભાલી. 1985માં તેઓને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદ સચિવ નિયુક્ત કરાયા હતા. તેઓએ સરદાર સરોવર પરિયોજનાની દેખરેખને માટે નર્મદા પ્રબંધન પ્રાધિકરણની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
कोई भी कितना ही ग़ुस्सा हो कर जाए उनमें यह क्षमता थी वे उसे संतुष्ट कर ही भेजते थे। मीडिया से दूर, पर कॉंग्रेस के हर फ़ैसले में शामिल। कड़वी बात भी बेहद मीठे शब्दों में कहना उनसे सीख सकता था। कॉंग्रेस पार्टी उनका योगदान कभी भी नहीं भुला सकती। अहमद भाई अमर रहें।
२/२
તેમના નિધન પર મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે લખ્યું કે અહેમદ પટેલ નથી રહ્યા. એક અભિન્ન મિત્ર અને વિશ્વસનીય સાથી ખોવ્યા છે. અમે 77ની સાલથી સાથે રહ્યા હતા. કોંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજકીય કારણી દવા હતા. મૃદુભાષી, કુશળ વ્યવહાર અને હસતો ચહેરો તેમની ઓળખ હતી. મીડિયાથી દૂર દરેક નિર્ણયમાં તેઓ સામેલ રહેતા. કોંગ્રેસ પાર્ટી તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલે, અહેમદ ભાઈ અમર રહો.
અહેમદ પટેલના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
It is a sad day. Shri Ahmed Patel was a pillar of the Congress party. He lived and breathed Congress and stood with the party through its most difficult times. He was a tremendous asset.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે અહેમદ પટેલ કોંગ્રેસના સ્તંભ સમાન હતા. અહેમદ પટેલ મુશ્કેલીના દિવસોમાં કોંગ્રેસની સાથે ઉભા રહ્યા. પટેલ કોંગ્રેસની કિંમતી અસ્કયામત હતા. અમને તેમની ખોટ હંમેશા વર્તાશ. "ફૈસલ, મુમતાઝ અને પરિવારજનોને મારો પ્રેમ અને સાંત્વના.