કહેવાય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે વચનોની લ્હાણી થાય છે પરંતુ ભારતના રાજકારણમાં સ્થિતિ કંઈક અલગ જ હોય છે અહી જ્યારે વચનોની લ્હાણી થાય ત્યારે સમજવુ કે ચૂંટણી આવી ગઈ છે..એમ પણ વચનો આપવામાં શું જાય છે....પછી તે કોઈ પણ પાર્ટી કેમ ન હોય...જો કે વચનોના નામે કેટલીક વખત મતદારો છેતરાઈ પણ જતા જ હોય છે..જેથી રાજકીય પક્ષોએ જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરો જીત બાદ કેટલો અમલ થાય તે તો બાદમાં જ ખ્યાલ આવી શકે છે..પરંતુ તેમ છતાં દરેક ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરો તો જાહેર થાય જ છે..અને એ જ પ્રમાણે આજે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો જેમાં ખાસ કરીને રોજગારી,ખેડૂતોને સહાય,ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયાની સહાય,રાજદ્રોહના કાયદામાં બદલાવ વગેરે જેવી બાબતોને તેમણે સામેલ કર્યા છે..પરંતુ જોવાનું એ છે શું આવા વાયદાઓથી કોંગ્રેસની સરકાર બનશે? શું કોંગ્રેેસે જાહેર કરેલો ઢંઢેરો દેશને તોડશે કે જોડશે? શુ ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને દેશ વિરોધી ગણાવ્યો છે તેમાં સત્યતા છે ખરી? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન