કોંગ્રેસે ભારત દ્વારા અમેરિકાને કરવામાં આવેલી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને લઇને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ કોરોના વાયરસની સારવારમાં ઉપયોગ કરવામાં આવતી આ દવાને લઇને મોદી સરકારને સવાલ કર્યો છે કે અમેરિકાને આ દવા નિકાસ કરતા પહેલા શું કેન્દ્રે ભારતમાં આ દવાના સ્ટોકની સ્થિતિ અને દવા બનાવનારી કંપનીઓ વિશે વિચાર્યું હતું?
કોંગ્રેસે સવાલ કર્યો કે શું પીએમ મોદીએ દેશને પ્રાથમિકતા આપી?
સરકારને બીજા આર્થિક પેકેજની જાહેરાત માટે વધુ કેટલો સમય લાગશે? : કોંગ્રેસ
કોંગ્રેસે સવાલ કર્યો કે શું પીએમ મોદીએ દેશને પ્રાથમિકતા આપી? કોંગ્રેસે દવાઓની નિકાસને લઇને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશ સાથે વિશ્વાસ ઘાત કરાયો હોવાનું બતાવ્યું છે.
કોંગ્રેસે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે શું ભારતના નાગરિક અને તેમની જરૂરિયાતો પીએમ મોદીની પ્રાથમિકતામાં નથી? અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની વાતનો હવાલો આપતા પાર્ટીએ કહ્યું કે જો અવ્યવસ્થિત રીતે કરવામાં આવેલા લૉકડાઉનને કારણે લાખો મજૂરોની મજૂરી પ્રભાવિત થાય છે તો આ આધારે ભૂખમરી વધારે દૂર નથી.
કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કર્યું કે આ લૉકડાઉન પીરિયડમાં ઉદ્યોગ જગત માટે કોઇ આર્થિક પેકેજની જાહેરાત કરાઇ નથી. સરકારે બીજા આર્થિક પેકેજની જાહેરાત માટે વધુ કેટલો સમય લાગશે?
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસથી પ્રભાવિતોની સંખ્યા વધતી જઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા વધીને 5734 થઇ ગઇ છે. જ્યારે 166 લોકોના મોત થયા છે અને 473 લોકો બીમારીથી સ્વસ્થ્ય થયા છે.