રાજકોટઃ કોંગ્રેસના ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા ધારાસભ્યોની અટકાયત કરાતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે ધારાસભ્યો અને કાર્યકરોની અટકાયત મુદ્દે પોલીસ અને ચૂંટણીપંચે જવાબ આપવો જોઈએ.
સાથે જ તેમણે જણાવ્યુ કે ભાજપના નેતા મોહન કુંડારીયા જસદણમાં ભાજપના કાર્યાલયમાં છે. પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ભાડલા પણ જસદણમાં કાર્યાલયમાં છે. આ મામલે તેમણે પોલીસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે રાજકોટની પોલીસ અને પ્રશાસન ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે.
કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત બાબતે કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હાર ભાળી ગયેલી ભાજપ સરકાર મનમાની કરી રહી છે. ભાજપના ધારાસભ્યો ખુલ્લેઆમ પ્રચાર કરે છે. કોંગ્રેસના ધારાસભ્યોની ખોટી હેરાનગતિ કરાય છે. ચૂંટણીપંચ પર અમને વિશ્વાસ છે. ચૂંટણીપંચ યોગ્ય રીતે કામ કરે તેવી અમને આશા છે.