સીધા ગ્રાહકોને સામાન વેચનારી કંપનીઓની પિરામિડ અને સંપત્તિ વિસ્તરણ યોજનાઓ પર સરકારે રોક લગાવી દીધી છે.
'મની સ્પ્રેડ એન્ડ પિરામિડ' યોજનાઓ વેપારી નહીં ચલાવી શકે
કંપનીઓને 90 દિવસની અંદર આ નિયમોનું પાલન કરવું પડશે
ફરીયાદો માટે કંપનીને જવાબદાર બનાવવામાં આવશે
કેન્દ્ર સરકારે મંગળવારે નવા નિયમોની સૂચના આપી છે. આવી તમામ કંપનીઓને 90 દિવસની અંદર આ નિયમોનું પાલન કરવું પડશે. નવા નિયમોમાં આ કંપનીઓને પોતાના વેપારીઓ દ્વારા વેચવામાં આવેલા ઉત્પાદનોને લઇને આવનારી ફરીયાદો માટે પણ જવાબદાર બનાવવામાં આવશે.
ગ્રાહક મામલાઓમાં મંત્રાલયે ગ્રાહક સુરક્ષા નિયમ, 2021ની સૂચના જાહેર કરી દીધી છે. આ નિયમના દાયરામાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ સિવાય ઈ-કૉમર્સ ફોરમો પર સીધા ગ્રાહકોને સામાન વેચનારા વેપારી પણ આવશે. રાજ્ય સરકારે સીધા વેચાણથી જોડાયેલા એકમોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક વ્યવસ્થા બનાવી છે.
હવે પ્રત્યક્ષ વેપારીઓ 'મની સ્પ્રેડ એન્ડ પિરામિડ' યોજનાઓ નહીં ચલાવી શકે. અત્યાર સુધી આ કંપનીઓ વેચાણ વધારવા માટે આવી યોજનાઓ ચલાવતી આવી રહી છે. ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગની મુખ્ય કંપનીઓમાં ટપરવેયર, એમવે અને ઓરિફ્લેમની ગણતરી થાય છે.