ભારત સરકારે બીએસ-6 ઉત્સર્જન ધોરણોને પૂરા કરનારા પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં સીએનજી અને એલપીજી કિટના રેટ્રો ફિટમેન્ટની મંજૂરી આપી દીધી છે.
સરકારે આપી મંજૂરી
બીએસ–6 વાહનોમાં સીએનજી અને એલપીજી કિટના રેટ્રોફીટિંગની મંજૂરી
ડીઝલ એન્જિનને સીએનજી-એલપીજી એન્જિનની સાથે રિપ્લેસ કરવા કર્યુ સુચિત
રેટ્રોફિટમેન્ટ માટે ટાઈપ એપ્રુવલ જરૂરીયાતને પણ નક્કી કરી
અત્યારે રેટ્રો ફિટમેન્ટ દ્વારા આવા સંશોધનોની મંજૂરી માત્ર એવા વાહનોમાં છે, જે બીએસ-4 ઉત્સર્જન ધોરણોને અનુરૂપ છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે એક સુચનામાં કહ્યું છે કે મંત્રાલયે બીએસ-6 પેટ્રોલ વાહનો પર સીએનજી અને એલપીજી કિટના રેટ્રોફિટમેન્ટ અને 3.5 ટનથી ઓછા BS6 વાહન મામલે ડીઝલ એન્જિનને સીએનજી અથવા એલપીજી એન્જિનની સાથે રિપ્લેસ કરવા માટે સુચિત કર્યુ છે. સુચનાએ રેટ્રોફિટમેન્ટ માટે ટાઈપ એપ્રુવલ જરૂરીયાતને પણ નક્કી કરી છે.
સીએનજી એક પર્યાવરણને અનુકૂળ ઈંધણ
મંત્રાલયે કહ્યું, સીએનજી એક પર્યાવરણને અનુકૂળ ઈંધણ છે અને પેટ્રોલ અને ડીઝલ જેવા ફૉસિલ ફ્યુલની તુલનામાં કાર્બન મોનોઑક્સાઈડ, હાઈડ્રોકાર્બન, પાર્ટિકુલેટ મેટર અને ધુમાડાના ઉત્સર્જનના સ્તરને ઘટાડવાનો દાવો કરે છે. આ સાથે મંત્રાલયે કહ્યું કે આ સુચના હિતધારકોના પરામર્શ પરથી તૈયાર કરવામાં આવી છે.
સીએનજી અથવા ઑટો એલપીજી ફૉસિલ ફ્યુલ સસ્તુ
પેટ્રોલ અથવા ડીઝલની તુલનામાં એક સ્વચ્છ ઈંધણ સમાધાન સિવાય સીએનજી અથવા ઑટો એલપીજી ફૉસિલ ફ્યુલ વિકલ્પોની તુલનામાં ખૂબ સસ્તી પણ છે. પેટ્રોલ અને ડીઝલની આસમાને આંબતી કિંમતોની સાથે દેશભરમાં સીએનજી અને ઑટો એલપીજીના વેચાણમાં વધારો થયો છે. જો કે, ફેક્ટ્રી-ફિટેડ સીએનજી કારની ઉપલબ્ધતાનો અભાવ અને સીએનજી અથવા ઑટો એલપીજી માટે ઈંધણ ભરનારા સ્ટેશનોની કમી વાહન માલિકોની સામે આવતી અમુક પરેશાનીઓ છે. આ સાથે આ કારણ આ સેગમેન્ટમાં વધારામાં રૂકાવટ છે.