યૂપીમાં સીએમ યોગીએ નાગરિકોની ફરિયાદના નિરાકરણ માટે હેલ્પલાઈન શરૂ કરી છે.. સીએમ યોગીએ સીએમ હેલ્પલાઈન 1076ની શરૂઆત કરી છે.. આ હેલ્પલાઈનની ખુદ સીએમ યોગી દેખરેખ રાખશે. લોકભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ 1076 પર કોલ કરીને પોતાની સમસ્યા બતાવી શકશે. હેલ્પલાઈન પર કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકશે.. આ ફરિયાદને સંબંધિત વિભાગને મોકલવામાં આવશે અને સંબંધિત વિભાગ ફરિયાદનું નિરાકરણ માટે કામ કરશે.
ફરિયાદના 3-4 દિવસમાં જ ફરિયાદકર્તાએ કરેલી ફરિયાદનું નિરાકરણ થયુ કે નહીં તે અંગે માહિતી આપી દેવામાં આવશે. એટલુ જ નહીં ફરિયાદકર્તાની ફરિયાદનું નિરાકરણ થયું કે કેમ તે અંગે પણ વેરિફિકેશન કરવામાં આવશે. એટલું જ નહીં જે અધિકારી દ્વારા ફરિયાદનું નિરાકરણ લાવવામાં નહીં આવે તેવા અધિકારી વિરૂદ્ધ એક્શન લેવાશે.