કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશથી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દેશની સૌથી પ્રદૂષિત નદીઓને લઇને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી નદીનો સમાવેશ પણ કરાયો છે.
સાબરમત્તીના રિવરફ્રન્ટ પર પ્રદૂષિત પાણી વહેતું હોવાનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-જીપીસીબીના 2019ના રિપોર્ટ અનુસાર સાબરમતી રિવરફ્રન્ટનું પાણી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જો કે તેની સાથે કેન્દ્રના જળસંપત્તિ રાજ્યમંત્રી દ્વારા પણ જણાવાયું હતું કે સીપીસીબીએ દેશની 351 નદીઓ પર સંશોધન કર્યું હતું જેમાં 323 નદીઓ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે.
જેમાં સાબરમતી નદીનો પણ સમાવેશ છે. સાબરમતી સહિત નદીઓ કેમ પ્રદૂષિત થઇ રહી છે તેને લઇને જણાવાયું હતું કે નદીઓમાં ઔદ્યોગિક એકમો તથા શહેરની ગટરોનું કાર્યવાહી કર્યા વગરનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું તથ્ય સામે આવ્યું હતું.
દિલ્હી ચૂંટણી સભામાં શું કહ્યું હતું સીએમ રૂપાણીએ?
સીએમ રૂપાણી દિલ્હીની દુર્દસા દુર કરીને ગુજરાતના વિકાસની વાતો કહેવામાં એવા તો ઉત્સાહમાં આવી ગયા કે તેમણે સાબરમતી નદી સ્વચ્છ બનાવવામાં નરેન્દ્રભાઈ મોદીએ બનાવી છે તેવું સ્ટેટમેન્ટ આપી દીધુ હતું. સાબરમતી નદીને કારણે ટ્રમ્પ પણ ગુજરાત આવશે આ પહેલા પણ દેશ વિદેશના વડાપ્રધાન ગુજરાતમાં સાબરમતી નદી જોવા ખાસ આવ્યા છે. તેવી વાત રજૂ કરતાં જ તેમની જીભ કેવી લપસી તેની જાણ ખુદ તેમને પણ ન રહી.