મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટીની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેને શારીરિક રીતે નજીવી રાહત મળી છે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મહારાષ્ટ્ર રાજકીય સંકટની વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેને નજીવી રાહત
RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો
સવારમાં એન્ટીજન ટેસ્ટમાં આવ્યાં હતા પોઝિટીવ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે ગમે હવે ત્યારે ઉદ્ધવ રાજીનામું આપી શકે છે અને વિધાનસભા ભંગ કરી શકે છે આ દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સવારમાં એન્ટીજન ટેસ્ટમાં તેઓ કોરોના પોઝીટિવ હોવાનું સામે આવ્યું હતું પરંતુ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.
CM ઉદ્ધવ ઠાકરેનો એન્ટિજન ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો
મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાને લઈને મોટી ઉથલ-પાથલ મચી ગઈ છે.શિવસેના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. જેની વચ્ચે ઉદ્ધવ ઠાકરેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા કમલનાથ-નાના પટોલે દાવો કર્યો છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
રાજ્યપાલ કોશ્યરી કોરોના પણ કરોનાની ચપેટમાં આવ્યા
આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી કોરોના સંક્રમિત થઈ ગયા છે. માહિતી આપતા રાજભવનના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે તપાસ બાદ રાજ્યપાલ કોરોના સંક્રમિત જણાયા હતા, ત્યારબાદ તેમને દક્ષિણ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.