જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજનૈતિક પ્રતિક્રિયા આપી છે કે આ પહેલા મુંબઈમાં પણ હુમલો થયો હતો. જોકે મુંબઈના હુમલા બાદ લોકોમાં જુસ્સો જોવા મળ્યો ન હતો. ત્યારે હવે પુલવામામાં હુમલો થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભાજપ સરકાર દરમિયાન હુમલો થતા લોકોમાં રોષ જોવા મળ્યો.
સાથે જ તેમણે જણાવ્યુ કે આ હુમલા પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે કે આ હુમલાના જવાબદાર તમામ લોકોને વીણી વીણીની મારીશુ. દેશની જનતાને સરકાર અને સૈન્ય પર વિશ્વાસ રાખવો જોઈએ.
મહત્વનું છે કે જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ પોતાની નાપાક હરકતને અંજામ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા છે. જ્યારે અનેક ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે હાલ દેશની જનતા આક્રોશમાં છે. કડક કાર્યવાહીની માગ થઇ રહી છે. બીજી બાજુ સરકાર અને સેના હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે.