નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ સાર્વજનિક સંપત્તિઓને નુકશાન પહોંચાડનાર પ્રદર્શનકારીઓને લઇને રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડી (Suresh Angadi) એ વિવાદિત નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મોદી સરકારના મંત્રીએ કહ્યું કે, સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનારને જોતા જ ગોળી મારી દો.
રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું વિવાદિત નિવેદન
સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડનારને જોતા જ ગોળી મારી દો
વિપક્ષ દ્વારા સમર્થિત કેટલાક અસામાજિક તત્વ દેશમાં સમસ્યાઓ પેદા કરી રહ્યા છે
રેલ રાજ્ય મંત્રીએ કહ્યું કે, તેઓએ તંત્ર અને આરપીએફ બંનેને નિર્દેશ આપ્યા છે કે, સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારને જોતાની સાથે જ ગોળી મારી દો. હું કેન્દ્રીય મંત્રીના રૂપે આ નિર્દેશ આપી રહ્યો છું. નોંધનીય છે કે, ચાર દિવસ પહેલા બંગાળના મુર્શિદાબાદના એક રેલવે સ્ટેશનને સંશોધિત નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા લોકોએ આગ લગાવી દીધું હતું. આ ઉપરાંત 5 ખાલી ટ્રેનોને પણ આગને હવાલે કરી દેવામાં આવી. ત્યારબાદ રેલ રાજ્ય મંત્રીનું આ નિવેદન આવ્યું છે.
#WATCH Union Min of State of Railways, Suresh Angadi speaks on damage to properties. Says "...I strictly warn concerned dist admn&railway authorities, if anybody destroys public property, including railway, I direct as a Minister, shoot them at sight..." #CitizenshipAmendmentActpic.twitter.com/VeUpZY7AjX
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં દેશવ્યાપી વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રીનું આ વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. સુરેશ અંગડીએ કહ્યું કે જ્યારે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં રેલવેને પહેલાથી જ ખૂબ જ નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આવી હિંસાત્મક ગતિવિધિઓને માફ કરવામાં આવી શકે નહીં.
તેઓએ કહ્યું કે, રેલવેના મૂળભૂત ઢાંચાના વિકાસ અને સ્વચ્છતા માટે રાત-દિવસ 13 લાખ કર્મચારીઓ કામ કરે છે. પરંતુ વિપક્ષ દ્વારા સમર્થિત કેટલાક અસામાજિક તત્વ દેશમાં સમસ્યાઓ પેદા કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો છે કે વિપક્ષી દળ સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. જોકે, તે મુસલમાનો સહિત દેશના નાગરિકો માટે કોઇ ખતરો નથી.