રાજકોટમાં સિરિંજ ચાઈનાથી મંગાવવામાં આવી છે. મહામારી ફેલાવનાર ચાઈનાને બાયકોટ ચાઈના કહીને ખુદ સરકાર જ આ રીતે વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આત્મનિર્ભર ભારત વેક્સિન સિરિન્જ મુદ્દે ચીન પર નિર્ભર
સરકાર જ ખરીદી રહી છે ચીન પાસેથી સિરિન્જ
કોરોના વેક્સિન માટે ચાઈનાની સિરિન્જનો ઉપયોગ
કોરોના વેક્સિન માટે ચાઈનાની સિરિન્જનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેકસીન માટે ચાઈનીઝ કંપનીની સિરિન્જ મંગાવાઇ છે. ગુજરાતના જિલ્લાઓમાં આપેલ 0.5 મિલીની સિરિન્જ મેડ ઇન ચાઈના નીકળી છે. વુક્ષી યુશોઉ મેડીકલ અપ્લાયન્સ ( WUXI YUSHOU MEDICAL APPLIANCES ) નામની કંપની સિરિન્જ છે. એટલું જ નહીં પણ સિરિન્જના લેબલ પર 'ગવર્મેન્ટ સપ્લાય'નો લોગો પણ છે. અને ખરીદનાર તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નામ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગઈકાલે કોરોનાના 890 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,40,995 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.86 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 93,84,030 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 1002 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,26,208 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 7 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4275 થઇ ગઇ છે. તો હાલ 10,512એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
તારીખ
કોરોનાના કેસ
1 જૂન
423
1 જૂલાઇ
675
1 ઓગસ્ટ
1136
1 સપ્ટેમ્બર
1310
1 ઓક્ટોબર
1351
1 નવેમ્બર
860
2 નવેમ્બર
875
21 નવેમ્બર
1515
27 નવેમ્બર
1607
1 ડિસેમ્બર
1477
3 ડિસેમ્બર
1540
21 ડિસેમ્બર
960
26 ડિસેમ્બર
890
ગુજરાતમાં આજે 7 દર્દીના મોત
રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 2, રાજકોટમાં 1, મહેસાણામાં 24 કલાક દરમિયાન કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 185 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 178-ગ્રામ્યમાં 7 કેસ, સુરત શહેરમાં 128-ગ્રામ્યમાં 36 કેસ, વડોદરા શહેરમાં 108-ગ્રામ્યમાં 31 કેસ, રાજકોટ શહેરમાં 58-ગ્રામ્યમાં 20 કેસ અને કચ્છમાં આજે 29 કેસ નોંધાયા છે.