ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારતના પ્રવાસ પહેલા ચીને પાકિસ્તાન અને ભારતે કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય મંત્રણા કરી સમાધાન લાવવા અંગે જણાવ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ચીનના પોતાના ત્રીજા સત્તાવાર પ્રવાસને લઇને બેઇજિંગની મુલાકાતે છે.
કાશ્મીર મુદ્દે મિત્ર પાકિસ્તાનને ચીને આપ્યો ઝટકો
કાશ્મીર મુદ્દો બંને દેશ વાતચીતથી ઉકેલે
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન ચીનની મુલાકાતે
ચીનના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઇને આજે થઇ શકે છે સત્તાવાર જાહેરાત
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શી જિનપિંગના ભારત પ્રવાસને લઇને હજી સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે ચીનના અધિકારીઓએ બિનસત્તાવાર રીતે જણાવ્યું છે કે આજરોજ બેઇજિંગ અને નવી દિલ્હી ખાતે એકસાથે આ પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
કાશ્મીર મુદ્દે ચીનના વિદેશમંત્રલાયે કહી આ વાત
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગેને જ્યારે કાશ્મીર મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું કે ચીન એવુ માને છે કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાને સાથે મળીને સમાધાન લાવવું જોઇએ. આ બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે.
Geng Shuang, Chinese Foreign Ministry spokesperson: China's position on issue of Kashmir is consistent & clear. We call on India and Pakistan to step up dialogue on disputes including the Kashmir issue to enhance mutual trust and improve relations. 1/2 (08.10)
પાકિસ્તાનના સેના પ્રમુખ જાવેજ બાજવાએ ચીનના નેતૃત્વ સાથે મુલાકાત કરી
પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદબાજવા અને ચીનના સેન્યના નેતૃત્વ વચ્ચે મંગળવારે અહીં કાશ્મીર મુદ્દા પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન બંને પક્ષે ક્ષેત્રિય સુરક્ષા વાતાવરણ અને પાકિસ્તાન-ચીન રક્ષા સહયોગ પર ચર્ચા કરી.