આજે આખા વિશ્વને કોરોનાનો કાળ ભરખી ગયો છે. વિશ્વને કોરોનાની ભેટ ચીને આપી છે. ચીનના વુહાનમાંથી પેદા થયેલો આ વાયરસ આર્થિકને માનવજીવનું અધધ નુકશાન કરી ચૂક્યો છે. તેમ છતાં ચીન એ સ્વીકારવા તૈયાર નથી કે તેની બેદરકારીને લીધે આ વાયરસ ફેલાયો છે. ચીન પર અમેરિકા સહિત અનેક દેશોએ પુરાવાનો નાશ કર્યાના આક્ષેપ કર્યા છતાં તે સ્વીકારવા તૈયાર નથી. ત્યારે આજે ચીની પ્રોફેસરે ચીનના ચહેરા પરથી મુખોટુ હટાવી દીધું છે. તેમણે કહ્યુ છે કે આ રીતે ચીને પુરાવાનો નાશ કર્યો છે.
ચીનની વુહાનમાં કોરોનાના પુરાવા કરાયા નષ્ટ
ચીની પ્રોફેસર ક્વૉક યુંગ યેને કર્યો ખુલાસો
કોરોના મહામારી અંગે જાણકારી છુપાવવામાં આવી
તપાસ ટીમ જાય તે પૂર્વે માર્કેટ સાફ કરી દેવાયું હતું
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ મામલે ચીની પ્રોફેસરે ચીનનો નકાબ ઉતારી દીધો છે. ચીની પ્રોફેસરે દાવો કર્યો કે કોરોના મહામારી મામલે ચીનના તંત્રએ મહત્વની જાણકારીઓ છુપાવી હતી. એટલું જ નહીં તપાસકર્તાઓ વુહાનની માર્કેટ પહોંચ્યા ત્યાં પહેલાથી જ પુરાવા નષ્ટ કરી દેવાયા હતા.
પ્રોફેસર ક્વોક યુંગ યેનએ જણાવ્યું કે વુહાન તંત્ર તરફથી કોરોનાના શરૂઆતથી કેસ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. ચીની પ્રોફેસર એ લોકોમાંથી એક છે જેમને સૌથી પહેલા દાવો કર્યો હતો કે વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
વુહાન માર્કેટમાં કોરોના ફેલાયા બાદ જ્યારે પુરાવા લેવા માટે પ્રોફેસર અને અન્ય ટીમ ગઈ ત્યારે વુહાન તંત્રએ પહેલાથી જ તે જગ્યા સાફ કરી નાંખી હતી. સીફૂડ માર્કેટને સંપૂર્ણ રીતે સાફ કરી દીધું હોવાથી જે જાનવરમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો. તે અંગે પુરાવા મેળવી શકાયા ન હતા. પ્રોફેસરે કહ્યું કે વુહાનમાં ધીમી કાર્યવાહીથી અમને શંકા હતી કે મામલાને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.