છત્તીસગઢના મુંગેલીમાં તૈનાત જિલ્લા સત્રના જજ કાંતા માર્ટિને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ છે. તહેવારના દિવસોમાં જ જજે આ પગલું કેમ ભર્યુ તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી.
એકલતાથી કંટાળી પગલુ ભર્યુ હોવાની ચર્ચા
પોતાનીજ સાડીથી લગાવ્યો ગળેફાંસો
દિવાળીના તહેવારમાં કેમ ભર્યુ આવું પગલુ?
રવિવારના રોજ ૫૫ વર્ષના જજ કાંતાએ સાડીનો ફંદો બનાવીને ગળે ફાંસો ખાધો હતો. પોલીસે જજના સરકારી બંગલાનો દરવાજા તોડીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.સૂત્રોના જણાવ્યાનુંસાર જજ માર્ટિન ઍકલા રહેતા હતા. ઍકલાપણાથી કંટાળીને જજે આ હિચકારૂ પગલું ભર્યુ હોવાનું હાલ માનવામા આવે છે. ઘટનાસ્થળે કોઈ સ્યૂસાઈટ નોટ મળી આવી નથી. તેઓ મધ્યપ્રદેશના કટનીના રહેવાસી હતા.
પહેલા પણ અહીં જ એક મહિલા જજે કરી હતી આત્મહત્યા
આ જ બંગલામાં દસ વર્ષ પહેલા પણ એક મહિલા જજે આપઘાત કર્યો હતો. ઈતિહાસ ફરી પોતાને દોરહાવી રહ્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.
રસોઈયો આવ્યો અને જજ લટકતી હાલતમાં મળી આવ્યા
રવિવારે સવારે જ્યારે રસોઈઓ સવારે 9 વાગે રસોઈ માટે બંગલે પહોંચ્યો તો દરવાજો બંધ હતો ઘણી વાર ડોર બેલ વગાજવા છતાં અને ફોન કરવા છતાં જ્યારે દરવાજો ન ખોલ્યો તો પાડોશમાં રહેતા કોર્ટના અધિકારીઓઓ બારીમાંથી અંદર જોવાની કોશિશ કરી તો જજ કાંતાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળી રહ્યો હતો. પોલીસને જાણ કર્યા બાદ બંગલાના દરવાજા તોડીને તેમના મૃતદેહને બહાર કઢાયો હતો. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.