છત્તીસગઢના ડીજીપી અવસ્થીએ આની પુષ્ટિ કરતા જણાવ્યું કે અત્યાર સુધી 7 નક્સલીઓને ઠાર કરી દેવાયા છે. જંગલમાં હજી પણ નક્સલીઓ છુપાયાં હોવાંની આશંકા છે. આને ધ્યાનમાં રાખતા ઓપરેશન હજી પણ શરૂ છે. ડીજીપીએ જણાવ્યું કે, નક્સલીઓની પાસેથી હથિયારોને પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
રાજનંદગાવઃ છત્તીસગઢ (Chhattisgarh) માં નક્સલીઓ (naxal) વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલ ઓપરેશનમાં સુરક્ષાદળોને ખૂબ મોટી સફળતા હાંસલ થઇ છે. અહીં અથડામણમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)એ 7 નક્સલીઓને ઠાર કરી દીધાં છે. છત્તીસગઢનાં રાજનંદગાવ જિલ્લાના બગનાદી પોલીસ સ્ટેશન અંતર્ગત સીતાગોટા જંગલમાં શનિવારનાં આજનાં રોજ સવારથી જ અથડામણ શરૂ છે.
છત્તીસગઢના ડીજીપી અવસ્થી (DM Awasthi) એ આની પુષ્ટિ કરતા જણાવ્યું કે અત્યાર સુધી 7 નક્સલીઓને ઠાર કરી દેવાયા છે. જંગલમાં હજી પણ નક્સલીઓ છુપાયાં હોવાંની આશંકા છે. આને ધ્યાનમાં રાખતા ઓપરેશન હજી પણ શરૂ છે. ડીજીપીએ જણાવ્યું કે, નક્સલીઓની પાસેથી હથિયારોને પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સુરક્ષાદળે વિસ્ફોટક અને હથિયારો પણ જપ્ત કર્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ખાનગી સૂત્રો અનુસાર, નક્સલીઓનાં જંગલમાં છુપાયા હોવાંની જાણકારી મળી હતી. એ જ આધાર પર ઓપરેશન ચલાવવામાં આવ્યું.
DM Awasthi, Director General of Police, Chhattisgarh: 7 Naxals killed in an encounter with District Reserve Guard (DRG) in Sitagota jungle under Bagnadi Police Station in Rajnandgaon. Arms and ammunition recovered. Operation is still underway. pic.twitter.com/OPNt9XEx7f
છત્તીસગઢના મોટા ભાગનાં વિસ્તારોમાં નક્સલીઓનો વિશેષ પ્રભાવ છે. બસ્તરમાં નક્સલી ઘટનાઓ સૌથી વધારે સામે આવી છે. એ જ કારણ છે કે આ વિસ્તારમાં પોલીસ અને પ્રશાસન સતત સક્રિયતાથી કામ કરી રહેલ છે. પોલીસ દૂર દૂર સુધીનાં વિસ્તારોમાં સંપર્ક સાધી રહી છે. આ સાથે જ દંતેવાડામાં પણ નક્સલીઓના સ્મારકોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે.