જો તમારો પણ આવનારા દિવસોમાં કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પ્લાન છે તો તમે વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. આ પેકેજની કિંમત ઘણી ઓછી છે.
મુસાફરો માટે સારા સમાચાર
IRCTCએ ટ્વિટ કરીને પેકેજ વિશે જાણકારી આપી
ફક્ત 8 હજારમાં કરો વૈષ્ણો દેવીના દર્શન
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. જો તમારો પણ આવનારા દિવસોમાં કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પ્લાન છે તો તમે વૈષ્ણોદેવીના દર્શન પર જઈ શકો છો. આ પેકેજની કિંમત ઘણી ઓછી છે. IRCTCએ ટ્વિટ કરીને આ પેકેજ વિશે જાણકારી આપી છે.
IRCTCએ ટ્વિટ કર્યું
IRCTCએ તેના સત્તાવાર ટ્વિટ પર લખ્યું છે કે જો તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે વૈષ્ણોદેવીની મુલાકાત લેવાની તક છે. આ ટૂર પેકેજ 5 દિવસ અને 4 રાતનું હશે. આ માટે તમારે પ્રતિ વ્યક્તિ માત્ર 8375 રૂપિયા ખર્ચવા પડશે.
રહેવા અને ખાવાની વ્યવસ્થા
આ પેકેજમાં મુસાફરો માટે Jai Maa Inn અને સમાન સ્તરની અન્ય કોઈપણ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પેકેજમાં IRCTC મુસાફરોને 2 બ્રેકફાસ્ટ અને 2 લંચની સુવિધા આપશે.
કેટલો થશે ખર્ચ
આ પેકેજમાં સિંગલ ઓક્યુપેસીનું ભાડું 14270 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. તે જ સમયે ડબલ ઓક્યુપેસી માટે વ્યક્તિ દીઠ 9285 રૂપિયા ખર્ચ થશે. ટ્રિપલ ઓક્યુપેસી માટે વ્યક્તિ દીઠ રૂ. 8375 ખર્ચ થશે. આ સિવાય જો બાળકોની વાત કરીએ તો 5 થી 11 વર્ષના બાળકો માટે પ્રતિ વ્યક્તિ 7275 રૂપિયા ખર્ચ થશે. ત્યાં જ ચાઈલ્ડ વિધાઉટ વર્થ લેવા માટે 6780 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે.
ઓફિશ્યલ લિંક પર કરી શકો છો વિઝિટ
આ પેકેજ વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો https://bit.ly/3J4oRvZ. આ સિવાય તમે 8287930908, 8287930922 નંબર પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.