મોટેરાની મહાકાળીની ચાલીમાં રહેતા અને ઓએનજીસી અવની ભવનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામપ્રકાશ રાજપૂતે છેતરપિંડીની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરી છે. રામપ્રકાશનો દીકરો પંકજ શહેર ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે.
આજથી ત્રણ પહેલાં વર્ષ ર૦૧૭માં રામપ્રકાશ અવની ભવનમાં નોકરી કરતા હતા ત્યારે તેમની સાથે તેમના સાળા રઘુનંદન રાજપૂત મારફતે અવની ભવનમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતાે સંજય રામપાલ, જે યુપી રહેતાે હોવાથી તેમની સાથે પરિચય થયો હતો અને સંજય રામપાલના બનેવી નાગેન્દ્ર પાસી લખનૌના ઓએનજીસી વિભાગમાં િમકેનિકલ એિન્જિનયર તરીકે નોકરી કરે છે અને ઓનએનજીસી તથા રેલવેમાં પૈસા લઈ સરકારી નોકરી અપાવે છે.
રામપ્રકાશના દીકરા માટે તેમના સાળાએ સંજય રામપાલ, નાગેન્દ્ર પાસી સાથે મુલાકાત કરાવી હતી. નાગેન્દ્રએ રામપ્રકાશને કહ્યું કે ચારથી પાંચ લોકોને રેલવે અને ઓનએનજીસીમાં પૈસા લઇ નોકરી અપાવેલ છે અને રામપ્રકાશને કોલ લેટર બતાવતાં તેમણે પણ વિશ્વાસ કર્યો હતો.
રામપ્રકાશે નાગેન્દ્રને નોકરી માટે કેટલા પૈસાનો ખર્ચ થશે તેમ પૂછતાં નાગેશ્વરે તમે ઓળખીતા છો એટલે ૧૩ લાખ રૂપિયા થશે તેમ કહ્યંંુ હતું. ત્યારબાદ રામપ્રકાશ દ્વારા કોર્ટમાં નોકરી ગેરંટી માટે એક એમયુ કરવામાં આવ્યો હતો અને અઢી લાખ રૂપિયા રામપ્રકાશે નાગેન્દ્રને આપ્યા હતા તથા બાકીના દસ લાખ રૂપિયા કોલ લેટર આવે એટલે આપવાના હતા.
તા.૧૮-૯-ર૦૧૯ના રોજ નાગેન્દ્ર રામપ્રકાશના ઘરે મળવા આવ્યા હતા અને રામપ્રકાશના દીકરાને દિલ્હી ખાતે જઈ કોલ લેટર લઇ બાકીના પૈસા આપવા કહ્યું હતું. ત્યાર બાદ રામપ્રકાશના દીકરા અને સાળાએ દિલ્હી ખાતે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ એક ઓફિસમાંથી કોલ લેટર લીધો હતો.
તે પછી કોલ લેટરમાં તા/ર૬-૯-ર૦૧૯થી તા ૧૧-૧૦-ર૦૧૯ સુધી ગોરખપુર (યુપી) ખાતે ટ્રેનિંગમાં જવાનો ઉલ્લેખ હતો. રામપ્રકાશના દીકરાને નોકરી તો મળી ગઈ હોવાથી નાગેન્દ્ર પર વિશ્વાસ આવી જતાં તેમણે નાગેન્દ્રને બીજા ટુકડે ટુકડે રૂપિયા આપ્યા હતા, જ્યારે પંકજ ગોરખપુર ટ્રેનિંગમાં ગયો હતો. પંદર દિવસ પછી ઘરે આવીને રામપ્રકાશને નાગેન્દ્ર, સંજય, મીનાક્ષીએ છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી.
પંકજ અને તેના પિતા રામપ્રકાશને ત્રણ મહિના સુધી નોકરીનો કોલ લેટર લઈ રેલવે કચેરીનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે આવો કોઈ કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યો નથી. રામપ્રકાશે નાગેન્દ્રનો સંપર્ક કરતાં તેમણે ૧૩ લાખ રૂપિયા આપી દેવાની ખાતરી આપી હતી, જેમાંથી નાગેન્દ્રએ અઢી લાખ રૂપિયા પરપ આપ્યા હતા. જેથી રામપ્રકાશે કોઈ ફરિયાદ કરી ન હતી. એક મહિલા સહિત બે લોકોએ રામંપ્રકાશ પાસે રેલવેમાં નોકરી આપવાના બહાને દસ લાખ રૂપિયા પડાવી લેતાં તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.