હરિયાણામાં કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ આજે શરૂ થશે. આ પરીક્ષણમાં હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજનું કહેવું છે કે તેઓને આજે કોરોના વેક્સીનનો ડોઝ અપાશે. તેઓએ પોતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હરિયાણાના આરોગ્ય મંત્રી ટ્રાયલ માટે વોલેન્ટિયર બન્યા છે અને તેમને આજે અંબાલાની હોસ્પિટલમાં ડૉક્ટર્સની નજર હેઠળ કોવેક્સીનની વેક્સીન અપાશે.
કોવેક્સિનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ
હરિયાણાના આરોગ્ય મંત્રી પર થશે પરીક્ષણ
અનિલ વીજને અપાશે રસીનો ડોઝ
મંત્રીએ ટ્વિટમાં લખ્યું છે કે તેમને શુક્રવારે એટલે કે આજે ભારત બાયોટેકની કોવેક્સીન પરીક્ષણના ભાગરૂપે વેક્સીન લગાવાશે. આ વેક્સીન અંબાલાની હોસ્પિટલમાં ડૉક્ટર્સની નજર હેઠળ સવારે 11 વાગે આપવામાં આવશે. આ માટે અનિલ વિજે ગઈકાલે સંકેત આપ્યા હતા. દેશભરમાં 20 સેન્ટરમાં 25800 વોલેન્ટિયર્સને કોવેક્સીનના ડોઝ અપાશે. 20 સેન્ટરમાંથી 1 પીજીઆઈએમએસ પણ વોલેન્ટિયર્સને આ ડોઝ આપવા તૈયાર છે.
I Will be administered trial dose of Coronavirus vaccine #Covaxin a Bharat Biotech product Tomorrow at 11 am at Civil Hospital, Ambala Cantt under the expert supervision of a team of Doctors from PGI Rohtak and Health Department. I have volunteered to take the trial dose.
કોવેક્સીન રિસર્ચના કો ઈન્વેસ્ટિગેટ ડો. રમેશ વર્માએ કહ્યું કે ત્રીજા ફેઝનું ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે. આ ફેઝમાં સ્વાસ્થ્ય કર્મી, ડોક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન સિવાય કંટ્રોલડ શુગર, બીપી, હાર્ટ, દમના દર્દીને પણ વેક્સીન અપાશે.
અનિલ વિજે આપ્યા હતા સંકેત
આરોગ્ય મંત્રી અનિલ વિજે આ મહિનાની શરૂઆતમાં કોરોના વેક્સીનના ત્રીજા ચરણના સંકેત આપ્યા હતા. કેન્દ્ર સરકાર હરિયાણાને વેક્સીનના પ્લાન બનાવવાના આદેશ આપી ચૂકી છે. હાલમાં ત્રીજા ચરણમાં 25000 લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.